આપણું ગુજરાત

ગુજરાતીઓને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે એવી ખાતરી મુખ્ય પ્રધાને આપી હતી.

અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના ૧૭૫મા વિદ્યાજ્ઞાન પર્વને સંબોધતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પંચ-પ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા માટે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધો.૧થી ૮માં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે.

ભારતમાં સ્થિર અને સક્ષમ નેતૃત્વને કારણે આજે માત્ર દેશના જ નહિ દુનિયાભરના લોકોમાં ભારત પરનો વિશ્ર્વાસ વધી રહ્યો છે. વિદેશી ઉદ્યોગકારો, રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુક છે. અને રોકાણ માટે ભારતમાં પણ ગુજરાત પહેલી પસંદ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮૪૮માં એલેક્ઝાન્ડર કીન્લોક ફોર્બ્સ અને કવિશ્રી દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની. જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવરજીકરણને દર્શાવતી પુસ્તિકા ‘ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા’નું વિમોચન મુખ્ય પ્રધાન ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ શ્રેયાંશભાઈ શાહ, ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, વરિષ્ઠ ઇતિહાસકાર મકરંદ મહેતા અને તેમના ધર્મપત્ની શિરીનબેન મહેતા, લોર્ડ મેઘનાથ દેસાઈ, કુમારપાળ દેસાઈ તેમજ એચ. કે. કોલેજના પ્રાધ્યાપક ઉપરાંત સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?