આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જામનગરમાં વિજળી પડતા બે લોકોના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમા રાજ્યમા ભારે વરસાદની અગાહી કરી છે. આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, ડાંગ, અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 કલાક બાદ સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. દરમિયાન ગતરોજ જામનગરમાં લાલપુરના ગજણા ગામે આકાશી વિજળી પડતા શ્રમિક યુવક અને એક બાળકના મોત નિપજ્યા છે. વરસાદને પગલે ખેડુતોને કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતી સેવાઈ છે. ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ 140 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

વરસાદને પગલે કપાસ અને મગફળીના પાકને નુકસાન:
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગતરોજ પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, દેવભૂમી દ્વારકા, અને અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો. સતત વરસી રહેલા વરસાદને પગલે કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16મી અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જામનગરમાં વરસાદ વિજળા પડતા બે લોકોના મોત:
જામનગર શહેર સહિત હાલારમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. જીલ્લામાં અડધાથી ત્રણ ઇંચ સુઘીનો વરસાદ પડયો હતો. લાલપુર પંથકમાં સોમવારે વરસાદ સાથે આકાશી આફત પણ વરસી પડતા માસુમ બાળક સહિત બે લોકોના મોત થયા હતા. લાલપુર પંથકમાં દાના સોલંકી (ઉ.વ. 45) અને રવિ વાઘેલા (ઉ.વ. 7)ના આકાશી વિજળી પડતા મોત નિપજયા હતા. જયારે ગ્રામ્ય પંથકમાં જુદા જુદા બનાવમાં આકાશી વિજળી પડતા પાંચ શ્રમિક સહિત છ લોકો ઘાયલ થયા હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ:
ગુજરાતમાં નવરાત્રી બાદ પણ મેઘરાજાએ વિરામ લીધો નથી. છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં સૌથી વધુ 3.22 ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાર તાલુકામાં બે ઈંચથી વધુ જ્યારે છ તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker