આપણું ગુજરાતટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

Gujarat નું ગૌરવ વધ્યું, ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને UNESCOની યાદીમાં સ્થાન

અમદાવાદ : ગુજરાતના(Gujarat) ભુજના સ્મૃતિવન( Smrutivan)ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું

ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે. 2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું.

ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી

ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્‌ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા

આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમજ સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. જ્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે ” હું કચ્છીઓની ખુમારીને વંદન કરું છું. સૌ કચ્છી ભાઇ-બહેનોને, સ્મૃતિવનનાં નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી ટીમને અભિનંદન પાઠવું છું, સૌ ગુજરાતીઓને પણ અભિનંદન

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો