ગુજરાતમાં 132 તાલુકામાં મેઘમહેરઃ સરદાર સરોવર ડેમ હાલ 48 ટકાથી વધુ ભરાયો
109 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે સાર્વત્રિક વરસાદની કરેલી આગાહી વચ્ચે સોમાવારે 132 તાલુકામાં મેઘમહેર થઈ હતી. પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 3.03 ઈંચ વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં 2.48 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈચ, કાલાવડમાં 2.32 ઈંચ, દ્વારકામાં 2.13 ઈંચ વરસાદ પડ્યો હતો.
મુંદ્રામાં 1.97 ઈંચ, ખંભાળીયામાં 1.81 ઈંચ, ભાણવાડમાં 1.77 ઈંચ, લાલપુરમાં 1.73 ઈંચ, લોધિકામાં 1.61 ઈંચ, જામજોધપુરમાં 1.54 ઈંચ, વંથલીમાં 1.46 ઈંચ, જોડિયામાં 1.46 ઈંચ, ગોંડલમાં 1.38 ઈંચ, ઉમરપાડામાં 1.3 ઈંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં અષાઢ જામ્યો: ૧૬૦ તાલુકાઓમાં મેઘમહેર, કડી-વિરમગામમાં 3 ઈંચથી વધુ વરસાદ
17 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ
રાજ્યમાં એક તાલુકામાં 3 ઈંચથી વધારે, ચાર તાલુકામાંથી 2 ઈંચથી વધારે, 17 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. 109 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
17 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ
ગુજરાતમાં સરદાર સરોવર ડેમ હાલ 48.91 ટકા ભરાયેલો છે. રાજ્યાના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 47.76 ટકા ભરાયેલા છે. 13 ડેમ 100 ટકા ભરાયેલા છે. 33 ડેમ 70થી 100 ટકા વચ્ચે, 36 ડેમ 50થી 70 ટકા વચ્ચે, 58 ડેમ 25થી 50 ટકા વચ્ચે અને 66 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 19 ડેમ હાઈ એલર્ટ પર , 13 ડેમ એલર્ટ પર અને 14 ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો: અષાઢી મેઘ મહેરથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક, જળસપાટી 318 ફૂટે પહોંચી!
ચાલુ સિઝનમાં કેટલો પડ્યો વરસાદ
રાજ્યમાં ચાલુ સિઝનમાં કુલ 32.73 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સરેરાશ 29.45 ટકા, ઉત્તર ગુજરાતમાં 24.77 ટકા, પૂર્વ મધ્યમાં 34.66 ટકા, સૌરાષ્ટ્રમાં 32.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા વરસાદ નોંધાયો છે.