આપણું ગુજરાત

ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિને 11 પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કરાયું

ગાંધીનગર : ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસે મહાત્મા મંદિર ખાતેથી રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલે 11 પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ કર્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ભરૂચ ખાતેની પ્રાદેશિક કચેરીના નવ નિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ, અમદાવાદ શહેરની પ્રાદેશિક કચેરીના ભવનનું ખાતમુહૂર્ત તેમજ મોરબી પ્રાદેશિક કચેરીની એર લેબોરેટરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના થકી ઔધોગિક વસાહતની નજીકમાં ઉધોગોને વિવિધ સેવાઓ સરળતાથી સંપન્ન થશે.

વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ કરાયું

જ્યારે હાલોલ ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગો માટેનું નવનિર્મિત કોમન ઈફલયુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ-CETPનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી આ વિસ્તારમાં ઉદ્યોગોને પાણી-પ્રદૂષણ નિવારવાના પ્રયાસોને સુદ્રઢતા મળશે.

આ ઉપરાંત ગુજરાત ઓઇલ રિસાયક્લિંગ એસોસિએશન-GORA દ્વારા વેસ્ટ ઓઈલને સરકયુલર ઈકોનોમિકના ભાગરૂપે એક રિસર્ચ તરીકે વેસ્ટ ઓઇલ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ કરાયું છે.

ઈ-ગવર્નન્સ એ સરકાર માટે હંમેશા પ્રાધાન્યપૂર્ણ વિષય રહ્યો છે. GPCB તેમના ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મનું રિવેમ્પીંગ પીએમ ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલન કરી વિકસિત કરવામાં આવ્યું છે, જેથી સાઈટિંગ ક્રાઈટેરિયાનું ટૂલ એ એન્વાયરમેન્ટ ગવર્નન્સ માટે ખૂબ જ ઉપયોગી થશે.

ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પોર્ટલનો શુભારંભ

મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી-GCZMA દ્વારા અદ્યતન વેબસાઇટ સાથે એપ્લિકેશન પોર્ટલનો શુભારંભ કરાયો છે. આ પહેલ GCZMAની કામગીરી જેવી કે પ્રોજેક્ટની અરજીઓ અન્વયે પ્રોસેસિંગ, ઓનલાઈન ફી ગેટ વે, ફરિયાદોનું નિવારણ અને CRZ ક્લીયરન્સના મોનીટરીંગ વગેરેને ડિજિટલ પ્લેટફોર્મ પુરૂ પાડી ‘ડિજિટલ ઇન્ડિયા’ના લક્ષ્યને સાર્થક કરશે.

સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું વર્ચ્યુઅલ લોકાર્પણ

આ ઉપરાંત અદ્યતન XGN પોર્ટલ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડ, ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા GHG એમિશન પોર્ટલનું લોન્ચિંગ તેમજ અમદાવાદ અને સુરત ખાતે બેગ વેન્ડિંગ મશીનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે અફલ્યૂઍન્ટ ટ્રેડિંગ માટે CETP અને તેની સભ્ય યુનિટ્સ વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી કરાર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા

આ પણ વાંચો – ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ

કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ નહિ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસને માત્ર એક ઇવેન્ટ નહિ, પરંતુ સૌ માટે “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” કરવાના સંકલ્પનો દિવસ ગણાવી દેશમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા “વન નેશન, વન મિશન – પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” કેમ્પેઈનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button