વર્ષ 2025 ની પહેલી લોક અદાલતને મળી અભૂતપૂર્વ સફળતાઃ 7 લાખ કેસનો નિવેડો…

અમદાવાદઃ લોક અદાલતમાં ગુજરાત રાજ્યને અભૂતપૂર્વ સફળતા મળી છે. રાજ્યભરમાં નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. તેમાં 13.2 લાખ કેસમાંથી 7.3 લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો છે.
Also read : પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે PSI લેખિત પરીક્ષા
સાત લાખથી વધુ કેસોનો સુખદ અંત
નવા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરાયું હતું. જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા દાવાઓનો સમાધાન કરી વલણથી નિકાલ કરાયો હતો. તેમજ દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડનીય શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો અંગેના કેસો પણ મુકાયા હતા.
જેમાં 13,02,486 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. તે પૈકી 7,03, 517 કેસોનો સુખદ નિવેડો આવ્યો હતો. આશરે રૂ. 2 હજાર 743 કરોડના એવોર્ડ મુકરર કરાયા હતા. કુલ 4 લાખ 37 હજાર પ્રિ-લિટીગેશન કેસમાં સમાધાન થયું હતું. જેમાં રૂ. 75.39 કરોડના એવોર્ડ મુકરર કરાયા હતા.
દાંપત્ય જીવનને લગતી 2,761 તકરારોનો પણ અંત
ઇ-ચલણના 3 લાખ 80 હજાર કેસમાં રૂ. 18 કરોડની વસૂલી કરવામાં આવી હતી. દાંપત્ય જીવનને લગતી 2761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવના માર્ગદર્શનમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ.
Also read : Ahmedabad માં એટીએમ કાર્ડની હેરફેર કરી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓની ધરપકડ
ગત વર્ષે કુલ ચાર લોક અદાલત યોજાઈ હતી
ગયા વર્ષે પણ રાજ્યભરમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 3004 તકરારોનો અંત આવ્યો હતો. 2024ના વર્ષની છેલ્લી લોક અદાલતમાં દસ વર્ષ કે તેથી જુનાં 1,296 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં કુલ ચાર લોક અદાલત યોજાઈ હતી. જેમાં કુલ 21,61,048 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.