આપણું ગુજરાતપંચમહાલ

Pavagadhમાં જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા SRP પીઆઇનું રહસ્યમય સંજોગોમાં મોત

હાલોલ: પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં(Pavagadh) નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ સાતના જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈનું ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે દર્શનાર્થિએ જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પાવાગઢ પોલીસે પીઆઈની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી આવ્યા

પાવાગઢમાં કાયમી બંદોબસ્ત માટે નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ 7ના 22 પોલીસ જવાનોને મૂક્યા છે. આ જવાનો જૂદા જૂદા પોઈન્ટ ઉપર ફરજ બજાવે છે. આ પોઈન્ટ પરની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કરવામાં આવે છે. દરમિયાન બુધવારે નિરીક્ષણ માટે નડિયાદથી એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈ જી. આર. પટેલ પાવાગઢ આવ્યા હતા. અને પાવાગઢની તળેટીમાં આવેલા શિવશક્તિ નિવાસ ધર્મશાળામાં રોકાયા હતાં.

યાત્રિકે ઘટનાની ધર્મશાળાના વહીવટ કરતાને જાણ કરી

ગુરુવારે વહેલી નડિયાદથી આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને જમીન ઉપર વ્યક્તિ પડી હોવાનું સામેના રૂમમાં રોકાયેલા યાત્રિકના ધ્યાને આવ્યું હતું. જેથી યાત્રિકે આ અંગે ધર્મશાળાના વહીવટકર્તાને જાણ કરી હતી. આ બનાવ અંગે પાવાગઢ પોલીસ અને એસઆરપી જવાનોને જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોત અંગેનું રહસ્ય અકબંધ

તેમજ રાત્રે સાથી કર્મચારી રૂમ પરથી ગયા પછી શું ઘટના બની ? પીઆઈનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે. રૂમમાંથી સાથી કર્મચારીએ આપેલું ટીફીન તથા પ્લાસ્ટિકની થેલીમાંથી ફ્રુટ અને પાણીની બોટલ મળી આવી છે. પોલીસે મોત પાછળના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…