આપણું ગુજરાત

સકારાત્મક સમાચાર લોકો સુધી પહોંચાડવા અંગે ભૂપેન્દ્ર પટેલ કરી મહત્ત્વની ટકોર…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગની કામગીરી અને સમાજની માનસિકતા પર ટકોર કરી છે. તેમણે સરકારી નોકરીના ક્રેઝ અને સોશિયલ મીડિયા પર નકારાત્મક રીલ્સની લોકપ્રિયતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

શાળા પ્રવેશોત્સવની બેઠકમાં તેમણે શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને સકારાત્મક બાબતોને પ્રોત્સાહન આપવા ઉપર વિશેષ ધ્યાન આપવાની ટકોર કરી હતી. આ સાથે તેમણે બેરોજગારી જેવા જટીલ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગની બેઠકમાં જણાવ્યું કે, સરકારી નોકરી મેળવવાનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ ઉદ્યોગોમાં સારી નોકરીઓ માટે વિજ્ઞાનનું ગુણવત્તાયુક્ત શિક્ષણ જરૂરી છે. તેમણે ટકોર કરી કે, “ટેટ-ટાટની પરીક્ષાઓ હંમેશાં ચાલતી જ રહે છે, શિક્ષણ વિભાગે આના પર ધ્યાન આપવું જોઈએ.”

વધુમાં તેમણે જણાવ્યું કે હું પણ સોશિયલ મીડિયા પર રીલ્સ જોઉં છું, પરંતુ નકારાત્મક રીલ્સને વધુ જોવાય છે અને કમેન્ટ્સ પણ વધુ મળે છે, જ્યારે સકારાત્મક રીલ્સને ઓછું ધ્યાન મળે છે.” તેમણે સરકારની જવાબદારી ગણાવી કે સકારાત્મક બાબતો લોકો સુધી પહોંચે.

શાળા પ્રવેશોત્સવની ચર્ચામાં મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને નકારાત્મક સમાચારો ટાળવા અને વ્યવસ્થા સુધારવા ભાર મૂક્યો. તેમણે કહ્યું, “એક નાની ખામીથી તરત ન્યૂઝ બની જાય છે, આવું ન થાય તે માટે શિક્ષણ વિભાગે કામ કરવું પડશે.”

બેરોજગારીની ચર્ચા પર તેમણે ખેડૂતોનું ઉદાહરણ આપી કહ્યું, “ખેતરોમાં કામ માટે લોકો નથી મળતા, તો બેરોજગારી ક્યાં છે?” તેમણે નાનામાં નાના વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ નિવેદનો શિક્ષણ, રોજગાર અને સોશિયલ મીડિયાના પ્રભાવ પર નવી ચર્ચા જગાવે છે.

આપણ વાંચો : ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’: ભૂપેન્દ્ર પટેલે ‘સિંદૂર વન’ના નિર્માણનો કરાવ્યો શુભારંભ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button