ઉનાળા પહેલા સરકારનું પાણીદાર આયોજન: તળાવોને ઊંડા કરીને પાઈપલાઈનથી જોડાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ઉનાળા પહેલા સરકારનું પાણીદાર આયોજન: તળાવોને ઊંડા કરીને પાઈપલાઈનથી જોડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગૌચર, સરકારી પડતર કે ખરાબાની જમીનમાં કુદરતી રીતે સર્જાયેલા તળાવોને સરકારી રેકર્ડ ઉપર પણ ‘વોટર બોડી’ અર્થાત્ જળાશયનો દરજજો આપી તેનું સંવર્ધન કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રકારના તળાવો કે જળાશયોને ઊંડા કરીને નર્મદાના પાણીથી ભરવા પાઈપલાઈન સાથે જોડાણ આપવા ત્રણ વિભાગોના સચિવોને સૂચના આપી હતી.

રાજ્યમાં પહેલાથી જ પંચાયત, સિંચાઈ, માર્ગ મકાન વિભાગ કે, પછી વન વિભાગ હસ્તકના તળાવોને ઊંડા કરી તેને પાઈપલાઈનનું કનેક્શન અપાય છે. લાંબા સમયથી ખેડૂતો, સ્થાનિક જનપ્રતિનિધીઓ તરફથી જે તળાવો કે જળાશયો ગૌચરમાં છે, સરકારી પડતર કે ખરાબમાં આપોઆપ સર્જાયા છે તેને ઊંડા કરીને, પાઈપલાઈનથી જોડી પાણી ભરવા માટે માગણીઓ થઈ રહી હતી.
આવા તળાવો પાઇપલાઇનથી જોડાયા બાદ ખેડૂતો સહિતના લોકોને ઉનાળા દરમિયાન પણ પાણી મળી રહેશે એવું સરકારના પ્રવક્તા પ્રધાને
જણાવ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button