1 ફેબ્રુઆરીથી ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેનનો સમય બદલાશે…
ગાંધીધામઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Indian Railway ની આ ટ્રેને રેલવેને કરાવી સૌથી વધુ કમાણી, આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…
આ છે નવો સમય
01 ફેબ્રુઆરી 2025થી ટ્રેન નં. 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી 08.10 કલાકને બદલે 05.35 કલાકે ઉપડશે અને 14.50 કલાકને બદલે 12.20 કલાકે પાલનપુર પહોંચશે. જ્યારે 01 ફેબ્રુઆરી 2025થી ટ્રેન નં. 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી 15.40 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને 22.20 કલાકને બદલે 19.50 કલાકે ગાંધીધામ પહોંચશે.
આ પણ વાંચો : આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…
ઉપરોક્ત ફેરફારને કારણે વચ્ચે આવતા તમામ આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. મુસાફરોને ટ્રેનના નવા સમય સંબંધિત અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.