આપણું ગુજરાત

અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારના તપોવન સર્કલ નજીકના પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. ચાર થી પાંચ રાઉન્ડ આડેધડ ફાયરિંગ કરી ગાડીમાં ફરાર થઇ હતો. પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જમીન લે વેચનો વ્યવસાય કરતો હરિસિંગ ચંપાવતે આ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ નજીક જાહેર રોડ પર અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તપોવન સર્કલ નજીક આવેલા પાન પાર્લરના માલિક ધર્મેશ ભરવાડ હાજર હતા. તે દરમિયાન હરિસિંહ ચંપાવત નામની વ્યક્તિ કાર લઈ પાન પાર્લર પર આવ્યો હતો. જે બાદ તે પાન પાર્લર પર ઊભેલા ગ્રાહકોને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. તે દરમિયાન ધર્મેશ ભરવાડના કાકા નવઘણ ભરવાડને જાણ થતાં પાન પાર્લર પાસે આવી ગાળો નહિ બોલવાનું કહેતા હરિસિંહ ચંપાવતે ધક્કો મારી પાડી દીધો હતો. જોકે ત્યાં ટોળું ભેગું થઈ જતા હરિસિંહ નામનો શખ્સ પોતાની સિયાઝ કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ હરીસિંહ બીજી એક કાર લઈને પાન પાર્લર પાસે તેના મિત્ર સાથે આવ્યો અને કારમાંથી ઊતરેલા અજાણ્યા શખ્સે ગાડીમાંથી ઊતરી રિવોલ્વરથી અંધાધૂંધ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જેના પગલે આસપાસના લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી. પોલીસે હરિસિંગ ચંપાવત વિરુદ્ધ આમ્સ એક્ટ મુજબનો ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?