શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે શ્રી દ્વારકાધીશને દિવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તો ઉમટ્યા...
આપણું ગુજરાત

શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે શ્રી દ્વારકાધીશને દિવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તો ઉમટ્યા…

દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગોવર્ધન પૂજા મનોરથ ઉજવાયો હતો. જેના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભગવાન દ્વારાકાધીશજીને અન્નકૂટ ધરાવવામાં આવે તે પહેલાં મંદિર પરિસરમાં આ પૂજા કરવામાં આવી હતી.

અન્નકૂટના દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ વૈદિક ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે ગોવર્ધનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીને અન્નકુટ મનોરથ યોજવામાં આવ્યા હતાં.

બપોરે 1 વાગ્યે અનોસર દર્શન બંધ કરવામાં આવ્યા હતા, સાંજે 5થી 7 સુધી ભાવિકોને અન્નકૂટના દર્શનનો લહાવો મળ્યો હતો. ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે દિવ્ય અન્નકુટ મનોરથ યોજાયા હતાં.

આ અન્નકુટ મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન જેવા વિવિધ માધ્યમોથી કૃષ્ણભકતોએ દિવ્ય દર્શનને નિહાળ્યા હતાં.

આ પણ વાંચો…દ્વારકાધીશ મંદિરમાં ‘ભાઈ બીજ’ના દર્શનના સમયમાં ફેરફાર; અડધો કલાક વહેલા થશે મંગળા આરતી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button