આપણું ગુજરાત

અમદાવાદ-અયોધ્યા વચ્ચે ૧૧ જાન્યુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યો છે. તા.૧૧મી જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ખાનગી એરલાઇન્સ કંપનીએ કર્યો છે જેનું બુકિંગ પણ ઓનલાઇન શરૂ થયું છે. હાલ અયોધ્યાનું ભાડું ૩,૯૯૯ રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે ૯.૧૦ વાગે ઉપડશે. જ્યારે અયોધ્યાથી સવારે ૧૧.૩૦ વાગ્યે ઉપડશે. આ ડાયરેક્ટ ફ્લાઇટમાં માત્ર ૧ કલાક ૫૦ મિનિટમાં પહોંચી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યા માટે દિલ્હીથી ઉદઘાટન ફ્લાઈટ તા.૩૦મીએ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરશે. ત્યારબાદ તા.૬ઠ્ઠી જાન્યુઆરીથી દિલ્હી-અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ કરાશે. જે બાદ તા.૧૧મી જાન્યુઆરી ૨૦૨૪થી અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. અમદાવાદથી અયોધ્યા માટે ફલાઇટ નં ૬ઈ ૬૩૭૫ મંગળ, ગુરુ અને શનિવારે ફલાઇટ તા.૧૧મી જાન્યુઆરીથી સવારે ૯.૧૦ વાગ્યે ઉડાન ભરશે. આ જ રીતે અયોધ્યાથી અમદાવાદ માટે ફલાઇટ નં ૬ઈ ૧૧૨ મંગળ, ગુરુ અને શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે ઉડાન ભરશે જે અમદાવાદ એરપોર્ટ પર બપોરે ૧૩.૪૦ વાગ્યે લેન્ડ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો