ગુજરાતમાં UCC અંગે સૂચનો મોકલવાની સમય મર્યાદા વધારાઈ, નાગરિકો આ તારીખ સુધી મોકલી શકશે સૂચનો…

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજયમા સમાન સિવિલ કોડ(UCC)લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે. સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના નાગરિકોને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. તેમજ સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તારીખ 24 માર્ચ 2025થી વધારીને જે હવે 15 એપ્રિલ 2025 સુધી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ધોરાજી ભાજપમાં ખળભળાટઃ માત્ર 13 જ દિવસમાં નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું
મૂલ્યાંકન બાદ સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.
આ પણ વાંચો : અર્જુન મોઢવાડિયાએ બળાપો કાઢ્યોઃ કૉંગ્રેસમાંથી આવેલા બીજા નેતાઓ પણ ખફા
15 એપ્રિલ સુધી સૂચનો મોકલવા અપીલ
આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.15/04/2025ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/ પર અથવા ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા બ્લોક નં.1, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.