સુરતમાં ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાના ગુંગળામણથી ત્રણ લોકોના મોત...

સુરતમાં ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાના ગુંગળામણથી ત્રણ લોકોના મોત…

સુરત : સુરતમાં એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. જેમાં રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો. જેમાં એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.તેમજ સમગ્ર ઘટના અંગે તપાસ શરુ કરી છે.

રૂમમાં જનરેટર ચાલુ હોવાથી ધુમાડો રૂમમાં ફેલાયો
આ ઘટનાની જાણ થતા પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યુ હતું. જેની બાદ મૃતદેહને બહાર કાઢયા હતા. તેમજ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે. જયારે પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને લોકોના નિવેદન લીધા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button