સુરત

સુરતમાં આર્થિક સંકડામણમાં વધુ એક પરિવારે કર્યો સામુહિક આપઘાત

Surat News: ડાયમંડ નગરી સુરતમાં ફરી એક વખત સામુહિક આપઘાતની ઘટના બની હતી. શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો…Rahul Gandhi Gujarat Visit: કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી, શક્તિસિંહ ગોહિલની નિખાલસ કબૂલાત

મળતી વિગત પ્રમાણે, પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પણ સુરતમાં સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 લોકોની લાશ ઘરમાંથી મળી આવી હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. રાજન રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હતો. આ અગાઉ ઓક્ટોબર 2023 માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં એકજ પરિવારના ૭ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો.

(નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો) ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button