ભરુચ

ભરૂચમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયુંઃ 90 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચઃ ભરુચમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું હતું. જિલ્લાના આમોદમાં સરકારી અનાજમાં મોટાપાયે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું હતું. સરકારી અનાજનું વેપારીઓને વેચાણ કરી કમાણી કરવાના કાળો કારોબાર થતો હોવાનો પર્દાફાશ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આમોદમાંથી સરકારી અનાજનો 90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સરકારી અનાજના કાળા કારોબારમાં ગેરરિતી આચરનારા બે લોકોની અટકાયત કરવામાં આવી હતી.

રોઝા ટંકારીયાથી મોભા ગામે પીક અપ ગાડીમાં લઈ જવાતા અનાજનો જથ્થાની ચકાસણી કરતાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પુરવઠા મામલતદારે કાર્યવાહી કરતાં 90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘઉંની 36 તથા ચોખાની 28 બોરી કબજે કરવામાં આવી હતી. સરકારી અનાજના કૌભાંડ મામલે આમોદ પાસેથી પોલીસે વડોદરાના પાદરાના મેહુલકુમાર શાહ અને નિતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયારની અટકાયત કરી હતી.

પોલીસ આ બંને શખ્સની અટકાયત કર્યા બાદ આ જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો. તેમજ કોના દ્વારા અનાજ આપવામાં આવ્યું તેવી બાબતોને લઈને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તહેવારો પર અને ખાસ દિવસો પર તેમજ સરકારી શાળાઓ આ સરકારી અનાજનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કમાણીની લાલચે સરકારી અનાજનું બારોબાર વેપારીઓને વેચાણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા આવા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવતાં ફફડાટ ફેલાયો હતો.

આ પણ વાંચો…રાજ્યમાં ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button