આપણું ગુજરાતદાહોદમધ્ય ગુજરાત

ગુજરાતના આ શહેરમાં બે દિવસમાં છ જણને સાપ ડંખી ગયોઃ ત્રણના જીવ ગયા

અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા બે દિવસમાં સાપે ડંખ મારવાની કુલ છ ઘટના બની છે. જેમાં દાહોદમાં સાપે ડંખ મારતા બે બાળકો સહિત એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જેમાં ઘર બહાર રમતા બાળકોને સાપે ડંખ માર્યો હતો. ત્યારે બાળકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. વરસાદી વાતાવરણમાં સાપ ડંખવાની ઘટના વધારે બનતી હોય છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં બે દિવસમાં સાપે ડંખ મારવાની કુલ છ ઘટનાઓ સામે આવી છે. જેમાં સાપે ડંખ મારતા એક વ્યક્તિ સહિત બે બાળકોનાં મોત થયા છે. જેમાં પાટીયાગામના 50 વર્ષીય વ્યક્તિ સામેલ છે. ચોસાલા ખાતે બે વર્ષીય બાળકી અને ટાડાગોઢા ખાતે ચાર વર્ષીય બાળકનું મોત થયુ છે. ઘર બહાર રમતા બાળકને સાપે ડંખ મારતા હોસ્પિટલ લઈ જતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તેમજ ધાનપુરની મહિલા બાળકી અને બાવકાની મહિલાને સાપે ડંખ મારતા હોસ્પિટલ ખસેડાઇ છે.

સાપના ઝેરને શરીરમાં ફેલાતું અટકાવા સ્નેક એન્ટી વેનમ આપી શકાય
અત્રે ઉલ્લેખનીય છે કે સાપના ઝેરમાં રહેલા તત્ત્વો શરીરના જે ભાગમાં સાપ કરડ્યો હોય ત્યાંના કોષોને મારી નાખે છે. આ પછી તે લોહી દ્વારા આપણા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે અને વિવિધ અવયવોના કોષોને મારી નાખે છે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ જ કારણ છે કે પ્રાથમિક સારવાર પછી વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવે છે, જેથી તેને સ્નેક એન્ટી વેનમ આપી શકાય છે. આનાથી સાપના ઝેરને શરીરના અન્ય અંગમાં ફેલાતું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…