મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનેહવે 10મી વાર એક્સ્ટેન્શન અપાશે? | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનેહવે 10મી વાર એક્સ્ટેન્શન અપાશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનું એક વર્ષનું એક્સ્ટેન્શન વિતેલા સપ્તાહમાં પૂરું થયું છે. હવે એમને કેટલી અવધિ માટે દસમુ એક્સ્ટેન્શન અપાય છે એના પર સૌની નજર છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કૈલાસનાથનને નિવૃત્તિ બાદ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ તરીકે પોસ્ટીંગ આપ્યું હતું. આ સીલસીલો પછીના મુખ્યપ્રધાનોના કાર્યકાળમાં યથાવત રહ્યો હતો. અત્યાર સુધીમાં 9 વખત એમની આ મહત્ત્વની જવાબદારી પર એક્સ્ટેશન એક વર્ષ માટે રહેશે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ સુધી રહેશે એના પર સચિવાલયમાં અટકળો ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કે. કૈલાસનાથનના નામથી બ્યુરોક્રસીમાં સૌથી પાવરફૂલ અધિકારીનો કાર્યભાર ઘટાડવા માટે બે સિનિયર નિવૃત્ત અમલદારો હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌરને સલાહકાર તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિમ્યા છે. જોકે, વડા પ્રધાનના વિશ્વાસુ એવા `કે કે’ને એક્સ્ટેન્શન નિશ્ચિત મનાઇ રહ્યું છે, હવે પીએમની ટૂંકી વિઝિટ પૂરી થઇ છે અને એમની ફાઇલ ટૂંક સમયમાં મંજૂર થઇ જશે એમ વરિષ્ઠ અધિકારીઓ માની રહ્યા છે. ઉ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button