આપણું ગુજરાત

સી. આર. પાટીલે વખાણ્યું ભૂપત ભાયાણીનું રાજીનામું: વિસાવદર પેટાચૂંટણીમાં ‘આપ’ પર પ્રહાર

વિસાવદર: ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજકીય પાર્ટીઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિસાવદર ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન કરવામાં આવ્યું હતું. તે સિવાય તેમણે ભેસાણમાં પણ જનસભાને સંબોધન કર્યું હતું. સી. આર. પાટીલે સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામની પણ મુલાકાત લીધી હતી.

આમ આદમી પર કર્યા પ્રહારો

વિસાવદર ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનને સંબોધતા સી. આર. પાટીલે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીના લોકો એવું માનતા હતા કે તેની પાર્ટીના નેતા જે કહી રહ્યા છે તે લાગુ કરશે તો દિલ્હી સ્વર્ગ થઈ જશે, પરંતુ લોકોએ દસ વર્ષ રાહ જોઇ અને બાદમાં તેનો નશો ઉતરી ગયો. જે ભાઈએ દિલ્લીમાં સોગંદ ખાધા હતા કે અને કહેતા હતા કે, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અમને હરાવી નહીં શકે. એમના જીવતાજીવ એમને પણ હરાવી દીધા. તેમણે કહ્યું કે 2022ની ચૂંટણીમાં ભાજપ માત્ર ચાર હજાર મતના તફાવતથી જ હાર્યું હતું અને આ વખતે ચાર હજાર કરતાં વધુ મતો મળવાના છે.

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: કડી અને વિસાવદર બેઠક પર ભાજપના 40 દિગ્ગજ નેતા પ્રચાર કરશે

ભાયાણી-રિબડીયાની દાવેદારી પર શું બોલ્યા?

તેમણે વિસાવદર બેઠક પર કિરીટ પટેલના આપવામાં આવેલા પાર્ટીના મેન્ડેટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વિસાવદર બેઠક પર ભૂપત ભયાણી અને હર્ષદ રિબડીયા બંનેએ દાવેદારી નોંધાવી હતી પરંતુ પાર્ટીએ કિરીટ પટેલને મેન્ડેટ આપ્યું ત્યારે પાર્ટીથી નારાજ થવાને બદલે પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચારમાં લાગી ગયા હતા. પાટીલે તેને ભાજપની લાક્ષણિકતા ગણાવી હતી.

દિલ્લીવાળાના ઉમેદવારોની આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી

તેમણે આગળ કહ્યું કે 2022માં ભાજપ 182 જીતવા નીકળી હતી, ત્યારે 156 બેઠકો આવી હતી. આ સમયે દિલ્હીના નેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં તેની સરકાર બની રહી છે, પરંતુ 136 સીટો પર દિલ્લીવાળાના ઉમેદવારોની ડિપોઝીટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી. તેમણે કહ્યું કે ભૂપત ભાયાણીને લાગ્યું કે આમ આદમી પાર્ટીમાં વિસાવદરમાં વિકાસ થઈ શકે તેમ નથી આથી તેમણે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.

આ પણ વાંચો: વિસાવદર પેટા ચૂંટણીઃ કેજરીવાલે ભાજપને ઈટાલિયાને તોડી બતાવવાનો પડકાર ફેંક્યો, કોંગ્રેસને લઈ કહી આ વાત…

ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર

તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે સામેવાળી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી સમયે દિલ્હીમાં જેના કારણે આખી સરકાર હારી તેવા પૂર્વ મુખ્ય પ્રધાન આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ હારતા શીખી નથી અને હાર્યા બાદ વિસ્તાર છોડી દેતી નથી. તેમણે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર નામ લીધા વિના જ પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘જે બેન સાંસદ બની ગયા, તેઓ તેમની બેઠક પર પોતાના મનગમતા ઉમેદવારને જિતાડી ન શક્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button