આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી: 12ના મૃત્યુ, આંકડો વધી શકે!

વડોદરાથી એક ગમખ્વાર સમાચાર બહાર આવ્યા છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પ્રમાણે જાનવી હોસીપટલમાં 9 અને સયાજી હોસ્પીટલમાં 3ના મૃત્યુ થયા હતા. 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતા.

આ ઘટનાને લઈને MLA કેયૂર રોકડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. તેને કહ્યું કે જવાબદારોને છોડવામાં નહી આવે ને આકરા પગલાં લેવામાં આવશે.

પ્રાથમિક માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ અહીં સ્કૂલ ટ્રિપ પર આવ્યા હતા અને આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્યારબાદ અસરગ્રસ્તોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ મામલે વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે પ્રવાસી બાળકો અને શિક્ષકોને લઈને જતી બોટ પલટી ગઈ છે. હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરામાં વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે આવી ઘટના અગાઉ પણ બની હતી. આમાંથી શીખવાની જરૂર હતી. બધા વિદ્યાર્થીઓને લાઇવ જેકેટ પહેરવા માટે બનાવવામાં આવ્યા ન હતા. ક્ષમતા કરતા વધુ બાળકો બેઠા હતા. દરેક વ્યક્તિ હવામાં લાત મારી રહી છે. આ કોઈ ગંભીર અકસ્માત નથી પરંતુ ગંભીર અત્યાચાર છે અને તેના માટે માનવ વધનો કેસ નોંધવો જોઈએ.

સંબંધિત લેખો

Back to top button