આપણું ગુજરાત

હવે ૩૧મી ડિસેમ્બર સુધી દોડશે ભુજ-સાબરમતી ઇન્ટરસિટી


અમદાવાદ- ભુજ વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેનની મુદત શનિવારે સમાપ્ત થવાની હતી જો કે આગામી નવરાત્રી અને દિવાળી પર્વની રજાઓ આવતી હોઈ મુસાફરોની માંગણીને સ્વીકારી રેલવે વિભાગે આ ટ્રેનને આગામી ૩૧મી ડિસેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેતાં નવરાત્રી-દિવાળી સહિતના તહેવારો અને કચ્છને વૈશ્વિક ક્ષેત્રે પ્રવાસનમાં નામના અપાવનારો રણોત્સવ શરૂ થવાનો હોઇ ભુજ-અમદાવાદ વચ્ચે અવર જવર કરવામાં પ્રવાસીઓને સરળતા ઉભી થશે.
આ ઉપરાંત ભુજ સાબરમતી સાથે પશ્ચિમ રેલવે દ્વારા અલગ-અલગ ૧૦ જેટલી ટ્રેનોના રૂટ લંબાવામાં આવ્યા છે. જેનો પ્રવાસીઓને લાભ મળશે. અલબત્ત આ ઇન્ટરસીટી ટ્રેનને કાલુપુર સ્ટેશન સુધી દોડાવવાની લાંબા સમયની માગ સંતોષાઇ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button