આપણું ગુજરાતભુજ

ઊંટોને સમર્પિત છે કચ્છનો ભેડ માતાજીનો મેળો: અનોખા ભાતીગળ મેળાની વાત

ભુજ: કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં અનેરો આનંદ ફેલાયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને પગલે ઠેર-ઠેર મેળા-મલા ખડા પણ યોજાઈ રહ્યા છે. માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ? આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી જ, કોઈ માને કે ન માને, કચ્છમાં એક ભાતીગળ મેળો એવો છે જે રણના વાહન સમા ઊંટ મહાશયોને સમર્પિત કરાયો છે.

ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામની મુંદ્રા પટ્ટીમાં આવેલા મોટા બંદરા નજીકના ભેડિયા ડુંગર પર બિરાજતા મોમાય માતાજી જેને લાડમાં માલધારીઓ ભેડ માતાજી તરીકે ઓળખે છે અને આ સ્થળે યોજાતો મેળો ઊંટો માટે સમર્પિત છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચૌદશ અને અમાસ એમ બે દિવસ દરમ્યાન ભેડ માતાજીના સ્થાનકે આ ઉંટોનો મેળો યોજવામાં આવે છે.

આ મેળાની વિશિષ્ટતા એ છે કે આખું વર્ષ વફાદારી પૂર્વક પોતાના માલિક સાથે રહેતા ઊંટ-ઊંટડીને પશુપાલકો ખાસ કરીને રબારીઓ પોતાના ઊંટ-ઊંટડીને, ભેડ માતાજી સમક્ષ શીશ નમાવવા માતાજીના સ્થાનકે લઇ આવે છે. ઊંટને મંદિરમાં બિરાજમાન મોમાય માતાજીની મૂર્તિ સામે લઇ અવાય છે જયાં ખાસ બનાવાયેલા પ્લેટફોર્મ પર ઊંટ પોતાનું શીશ નમાવે છે. આ ઊંટોને કુમકુમ ચોખાના તિલક પણ કરાય છે અને તેમને નાળિયેરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

ઊંટોને માતાજીના દર્શન કરાવવાનું છે માહાત્મ્ય:
એક માન્યતા એવી છે કે, ઊંટોને મોમાય માતાજીના દર્શન કરાવવાથી તેઓ આખું વર્ષ તંદુરસ્ત રહે છે. દુષ્કાળના એ દોહલા દિવસોમાં કચ્છમાંથી હિજરત કરી ગયેલા સેંકડો રબારી પરિવારો, સારો વરસાદ થઇ જતાં કચ્છમાં પરત ફર્યા છે.આ રબારી પરિવારો જયારે હિજરત કરે છે ત્યારે કુટુંબના સભ્યો અને માલસામાનના ટ્રાન્સપોર્ટરો તરીકે આ ઊંટો જ ફરજ બજાવે છે.આ વર્ષે મેળામાં મહાલવા ઊંટોના ધણ ભેડ માતાજીના મંદિરની આસપાસ ઉમટી પડ્યા હતા.

આનંદની વાત એ છે કે હવે ઊંટડીના દૂધની લોકપ્રિયતા પણ વધવા પામી છે અને તેનું સારું માર્કેટિંગ શક્ય બન્યું છે તેથી અગાઉ માત્ર ઊંટો જ પાળતા પશુ પાલકો હવે ઊંટડીઓને પણ પાળતા થયા છે તેથી આ વર્ષે કોટડા ચકાર ખાતેના આ ઊંટોના મેળામાં ઊંટ જાણે સપરિવાર મહાલ્યા હતા. ભુજ ઉપરાંત મુંદરા તેમજ અંજાર તાલુકાઓના છેક ચુનડી, લફરા, બાંદરા,ચંદીયા,વરલી,જાંબુડી,રેહા સણોસરા સહીત ૭૦ જેટલા વિવિધ ભાતીગળ ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાના પશુઓ સાથે હાજરી આપી હતી.

આમ તો આં વાત પંચતંત્રની વાર્તા સમાન લાગે પણ વાસ્તવમાં યોજાતો આ મેળો રણપ્રદેશ કચ્છના લોકોની મૂંગા પશુઓ સાથેની આત્મિયતાનું પ્રેરક ઉદાહરણ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…