આપણું ગુજરાતદ્વારકા

Tourism: સાવજોની ત્રાડ પડશે બરડાના ડુંગરે! 29થી બરડા જંગલ સફારીનો શુભારંભ…

દ્વારકાઃ ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવુ નજરાણું 29મી ઓકટોબરથી ઉમેરવા જ‌ઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસની વનવિભાગની ચેકપોસ્ટ ખાતે વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે. અંદાજે 27 કિ.મી.નો બરડા સફારીનો રૂટ રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઇને ત્યારબાદ ચારણુ આઇ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ પ્રસંગે જામનગર સંસદ સભ્ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્યઓ ખાસ ઉપસ્થિતિ રહેશે તેમ, ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ એન. વાસ્તવે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં સાવજો તો ખરા જ, પણ દરિયામાં હાઈ જમ્પ કરતી ડોલ્ફિન પણ આટલી છે

ગુજરાત વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફએ બરડા વન્યજીવ અભયારણ્ય વિશે વિગત આપતાં જણાવ્યુ હતું કે, એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત અને માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં છે. હવે બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો-પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે. હાલ ગુજરાતમાં અંદાજે 674 એશિયાઈ સિંહો છે અને હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે બરડા વન્યજીવ અભયારણ્યમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ, વન્યજીવ તેમજ રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને વિચરણ માટે જૂનું અને જાણીતું સ્થળ છે અને એની નોંધ સમગ્ર વિશ્વ એ લીધી છે. બરડા વન્યજીવ અભયારણ્ય નું વૈવિધ્યસભર નિવસન તંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે, જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જ્યારે વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને વેલાઓ 09 ટકાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.

આ પણ વાંચો : ગુજરાતના અનેક જિલ્લામાં પડશે સાવજોની ત્રાડ: રાજ્યના 12 સ્થળોએ બનશે લાયન સફારી પાર્ક

લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે. ઉપરાંત આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે, જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ,નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજીયાત છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે.

આ પણ વાંચો : ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સફરે ગુજરાતની શાન એવા સાવજની ગર્જના ફરીથી સાંભળવા મળશે ૧૬મી ઓક્ટોબરથી સાસણગીરનાં દરવાજા દરેક પ્રવાસી માટે ખૂલશે

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker