Amarnath Yatra માટે Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા
![Ambernath Yarta 901 Ahmedabad people given fitness certificate](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Ambernath-Yatra.webp)
અમદાવાદઃ આગામી 29મી જૂનથી બાબા બર્ફાનીની અમરનાથ યાત્રાનો(Amarnath Yatra)પ્રારંભ થનાર છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે ફરજીયાત કરાયેલા ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદથી( Ahmedabad) અમરનાથ યાત્રાએ જવા માટે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે. ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે.
ત્રણ ટકા જેટલા લોકો અનફીટ
મળતી માહિતી મુજબ અમદાવાદથી અમરનાથ યાત્રાએ જવા માટે અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે. તેમાં સોલા સિવિલમાંથી 496 અને અસારવા સિવિલમાંથી 405 યાત્રા ઈચ્છુકને સર્ટિ અપાયા છે. સિવિલમાં જે અરજીઓ આવી તેમાં ત્રણ ટકા જેટલા લોકોમાં હૃદય રોગ કે અન્ય બીમારી હોવાનું સામે આવ્યું હતું, આવા કિસ્સામાં સર્ટિ. ઈશ્યૂ કરાયા નથી, પરંતુ વધુ સારવાર માટે તેમને જે તે હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
ઓગસ્ટ સુધીના અરસામાં 446 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ અપાયા
સૂત્રોથી મળતી માહિતી મુજબ અસારવા સિવિલના ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના અરસામાં 446 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ અપાયા હતા, આ વખતે અત્યાર સુધીમાં 405 લોકોને પ્રમાણપત્ર અપાયા છે. તબીબોનું કહેવું છે કે, અમરનાથ યાત્રાએ ઊંચાઈવાળા સ્થળે જવા માટે જે તે વ્યક્તિ સક્ષમ છે કે કેમ, જેમ કે ચાલવાની તકલીફ તો નથીને, ફેફસાંની ક્ષમતા, કાર્ડિયાકને લગતી તકલીફ સહિતની બાબતોની ચકાસણી કરીને, ફિટનેસ સર્ટિ. આપવામાં આવે છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર અમરનાથ યાત્રા ઈચ્છુકો માટે સર્ટિ લેવા માટેની સવલત ઊભી કરાઈ છે.