આપણું ગુજરાત

ક્યાં કરમ કૂટીયાના કારસ્તાનથી હટ્ટા-કટ્ટા અંબાલાલનો ઉઠ્યો ભરોસો?

ગુજરાતમાં દે-માર વરસાદ પડવાની નિયમિત આગાહી કરતાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આજે એક ગંભીર સ્પષ્ટતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુદ હાજર થઈને કરવી પડી છે. ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૂપડાધારે વરસાદ પડવાની આગાહીમાં રમમાણ અંબાલાલ પટેલને આજે કોઈ કરમ કૂટીયા એ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા. અંબાલાલ પટેલ કોઈ ગંભીર બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરાયાની વાત ‘ભર ચોમાસે જંગલની આગ’ની માફક પ્રસરી જતાં આખા રાજ્યના ખેડૂતો, શુભેચ્છકો અને ખાસ કરીને હવામાન અંગે પળ પળની બારીકીથી અપડેટ રહેતા ચાહકોમાં ચિંતાનું ભારે મોજું ફરી વળ્યું હતું. હકીકત તો એ છે અંબાલાલ પટેલ પાસે પોતાના અંગેની આ’ હવા’ પહોચી ત્યારે તેઓ વરતારો જ આપી રહ્યા હતા. જે લોકો અંબાલાલને જાણે છે તેઓએ સઘળા કામ પડતાં મૂકી અંબાલાલણે ‘સાંબેલાધાર’ શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું. હેબતાઈ ગયેલા અંબાલાલે તુરંત જ સોશિયલ મીડિયાનો સહારો લીધો અને વાત દીવા જેવી ચોખ્ખી કરી કે, હું હેમખેમ છુ, ક્યાય -કોઈ હોસ્પિટલમાં દાખલ નથી. અંબાલાલ પણ માથું ખ્ંજ્વાળતા કહેવા લાગ્યા, ‘ક્યાં કરમ કૂટીયાનું હશે આ કારસ્તાન ?

કોણ છે અંબાલાલ પટેલ ?

ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોને સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે તેવું અંબાલાલનું અનુમાન ભાગ્યે જ અફર રહ્યું છે.

શું થયું હતું અંબાલાલ સાથે ?

તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અગમવાણી તેમણે કોઈ પૂર્વાભ્યાસ નથી કર્યો કે નથી જ્યોતિષ શાસ્ત્રમાં પાંડિત્ય મેળવ્યું. આમ છ્તા સરકારના સિંહાસન ડોલાવનાર અંબાલાલ પટેલ છે કોણ ? સરકારના સિંહાસન વાળી વાત એટલે લખી કે,ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપની ભવિષ્યવાણી અંબાલાલે કરી હતી. ગુજરાતમાં 2001માં આવેલા ભીષણ ભૂકંપની અગમચેતી કરી, એ જ પ્રમાણે ભૂકંપે ખાના-ખરાબી સર્જી. આ બદલ સરકારે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અંબાલાલ પટેલ -કૃષિ નિષ્ણાત

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનાં રૂદાતલ ગામમાં 1947માં જન્મેલા અંબાલાલ દામોદરદાસ પટેલ,પત્ની ગૌરીબહેન અને સંતાનોમાં રાજેન્દ્ર ,સતિશ અને અલકા. વ્યવસાયે ખેડૂત પરિવારમાં જન્મી ખેતીમાં રસ દાખવતાં અંબાલાલ, આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતક(B.Sc Agri.)થયા અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર તરીકે જોડાયા. છેલ્લે, આસિસ્ટન્ટ ડાયરેકટરના હોદ્દા સુધી પહોચ્યા. અંબાલાલ પોતાના ગહન અભ્યાસ અને રુચિથી આગાહીઓ કરવા માંડ્યા અને આ વરતારા સાચા પણ પાડવા લાગતાં લોકોના આશ્ચર્યનો પાર ના રહ્યો. વડતા માધ્યમોના પરિણામે અંબાલાલ માત્ર ગુજરાત જ નહીં પણ સીમાડા પાર પણ પોતાની ખ્યાતિ બનાવી શક્યા.

આગાહી- કૃષિ અને કૃષિકારો માટે

છેલ્લે, આસિસ્ટન્ટ ડાયરેકટરના હોદ્દા સુધી પહોચ્યા. અંબાલાલ પોતાના ગહન અભ્યાસ અને રુચિથી આગાહીઓ કરવા માંડ્યા અને આ વરતારા સાચા પણ પાડવા લાગતાં લોકોના આશ્ચર્યનો પાર ના રહ્યો. વડતા માધ્યમોના પરિણામે અંબાલાલ માત્ર ગુજરાત જ નહીં પણ સીમાડા પાર પણ પોતાની ખ્યાતિ બનાવી શક્યા. અંબાલાલનો વાચનાનુભવ ઘૂંટાવા લાગ્યો અને વરતારા પર વિવિધ અખબારોમાં લેખન ચાલુ કર્યું. કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા.

ઔધોગિક વિકાસ ગમે તેટલો થાય પણ ખેતી એ દેશની કરોડરજ્જૂ છે.તેવું માનતા અંબાલાલ પટેલને 2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button