આપણું ગુજરાત

અંબાજી મંદિરમાં અષાઢી બીજના દિવસથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

અંબાજીઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર(Ambaji Temple)માં અષાઢી બીજના દિવસથી ત્રણ સમયે થતી આરતી બે વાર કરાશે, સાથે દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી જણાવવામા આવ્યું છે. આ અંગેની માહિતી આપતા અંબાજી મંદિરના ટ્રસ્ટે જણાવ્યું છે કે, યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં 7મી જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11.30 કલાક સુધી દર્શનનો સમય લંબાવાયો છે. માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન, જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૂર્યાસ્ત અને સૂર્યોદય મુજબ વર્ષમાં નિયત સમયે અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરાતા રહે છે. મંદિરમાં આવા માઈભક્તોને કોઈ અવગવડતા ન પડે તે હેતુથી મંદિર પ્રશાસન દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવતી હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?