અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad માં રથયાત્રાના રથોએ મંદિરથી નીકળ્યા, મોસાળ સરસપુરમાં ભક્તો આતુર

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ભગવાન જગન્નાથજીની 147 રથયાત્રાને લઇને સમગ્ર શહેરમાં ભકિતમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના ત્રણ કલાક બાદ હવે રથ મંદિર પરિસરથી આગળ નીકળ્યા છે. આ ત્રણ રથ પૂર્વે સુશોભિત ટ્રક, અખાડા અને ભજન મંડળીએ પ્રસ્થાન કર્યું હતું. જો કે ભગવાન હવે નગરચર્યાએ નીકળતા સમગ્ર રસ્તા પર તેમના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળશે. તેમજ ભગવાનન મોસાળ સરસપુરમાં પણ ભગવાનના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે.

સરસપુરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી

ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોને પ્રસાદીરૂપે ભોજન માટે છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ પોળમાં રસોડા ધમધમી રહ્યા છે. તેમજ રથયાત્રામાં જોડાતા ભાવિક ભક્તો અહિયાં અચૂક પ્રસાદ લેવા માટે આવતા હોય છે. અહીં આવનારા લાખો ભક્તોને ભોજન પીરસવામાં આવશે. ભગવાનની રથયાત્રાના દિવસે સરસપૂરના એકપણ ઘરનો ચૂલો પ્રગટતો નથી. તમામ લોકો મોસાળમાં ભાણિયાની આગતા સ્વાગતા કરવામાં મગ્ન થઈ જતા હોય છે અને ભક્તોને ભોજન પીરસે છે.

દાળ-ભાત, શાક-પૂરી અને મિષ્ઠાનનો પ્રસાદ

સરસપુરની વિવિધ શેરીમાં પ્રસાદ-ભોજન મળી રહેશે. દાળ-ભાત, શાક-પૂરી અને મિષ્ઠાન તો ક્યાંક પૂરી-શાક અને ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ સરસપુરની વિવિધ શેરી કડિયાવાડ, લીમડાપોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, કડિયાની પોળ, ઠાકોરવાસ, અમલીવાદ, રૂડીમાનું રસોડું, જે સરસપુરમાં સૌથી પહેલા પ્રસાદની શરૂઆત થઈ હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત