આપણું ગુજરાત

બારડોલીમાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નું થશે સમાપન: સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાશે

બારડોલી: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા 12મી જૂને સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે. સરદાર પટેલની 150મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. 29મી મે થી 12 જૂન સુધી દેશના રાજ્યોમાં યોજાવાના છે.

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું થશે સમાપન
આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ એ 29 મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ પ્રધાનની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. ૧૨મી જૂને સરદાર પટેલની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે. આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના 31 જિલ્લાઓના 2250 ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે.

કૃષિ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આ પ્રસંગે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત કુલ 25 હજાર મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા 14 ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે.

આ પણ વાંચો -‏‏‎ રેવન્યુ તલાટી બનવાની કરો તૈયારી! જાણો પ્રિલિમિનરી પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ!

ગુરુવારે તા. ૧૨મી જૂને સવારે 10:00 કલાકે બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ પ્રધાન રાઘવજી ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button