આપણું ગુજરાત

AAP MLAએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, એક મહિનાથી હતો ફરાર

ગાંધીનગરઃ ગુજરાતની આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય ચૈત્રા વસાવાએ ગુરુવારે જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મળતી માહિતી મુજબ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને હવાઈ ગોળીબારના કેસમાં તેઓ એક મહિનાથી વધુ સમયથી ફરાર હતા. તેમણે ગુરુવારે જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. ચૈત્રા વસાવા તેમના સેંકડો સમર્થકો સાથે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેમની સાથે અન્ય ત્રણ આરોપીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું.

આ અંગે પોલીસે્ જણાવ્યું હતું કે વસાવા 2 નવેમ્બરે તેમની સામે એફઆઈઆર નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો. અન્ય ત્રણ આરોપીઓ પણ ફરાર હતા, તેઓ બધાએ આજે અમારી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અમે તેની ઔપચારિક ધરપકડ કરી છે હવે તેમને નિયત સમયમર્યાદામાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.” કેસ નોંધાયા બાદ ગયા મહિને ખેડૂત રમેશભાઈ અને વસાવાની પત્ની શકુંતલા, તેમના અંગત મદદનીશ જીતેન્દ્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હજુ પણ જેલમાં છે.


આદિવાસી સમુદાયના નેતા વસાવા દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને વિધાનસભામાં AAP પક્ષના નેતા છે. તેઓ AAPના મધ્ય ગુજરાત એકમના કાર્યકારી અધ્યક્ષ પણ છે. શરણાગતિ પહેલા ગુરુવારે જારી કરાયેલા વીડિયોમાં વસાવાએ દાવો કર્યો હતો કે તેમની સામે ષડયંત્રના ભાગરૂપે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. વસાવા અને અન્ય છ લોકો સામે ગયા મહિને રમખાણો, છેડતી અને સરકારી અધિકારીઓ પર હુમલો કરવા સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષકે ગયા મહિને કહ્યું હતું કે વન વિભાગે ખાનગી વ્યક્તિઓ દ્વારા ખેતી માટે જંગલની જમીનનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના પગલે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટના 30 ઓક્ટોબરની રાત્રે બની હતી અને 2 નવેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી પાસે વસાવા સહિત ગુજરાતમાં પાંચ વિધાનસભ્યો છે, જેમાંથી પાર્ટીના એક વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું છે. હવે રાજ્યમાં AAPના ચાર ધારાસભ્યો બાકી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…