આપણું ગુજરાત

ભાવનગરના અવાણિયામાં બાઇક સાથે યુવક સળગ્યો

રવિવારના દિવસે ભાવનગરમાં એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના અવાણિયામાં સેલ્સમેન તરીકે નોકરી કરતા એક યુવાને અગમ્ય કારણોસર આત્મદાહ કરી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી હતી. યુવકે બાઇકની સાથે જ પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી.

આ ઘટનાને પગલે પસાર થતા રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. 108 અને પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ગંભીર હાલત ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

યુવાનની ઓળખ શહેરના ભરતનગર, પ્રગતિનગર ખાતે રહેતા ચિરાગ બુધેલિયા તરીકે થઇ છે. તે સવારે પરિવારજનોને ઘોઘા જઇ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો ઉંડા આઘાતમાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત