અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે પ્રી-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ યોજાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમદાવાદમાં પાંચમી ડિસેમ્બરે પ્રી-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે ૫મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે એક્સપોર્ટ એક્સિલરેટ: વિકસિત ભારત એટ ધ રેટ ૨૦૪૭ માટે ભારતની ‘નિકાસ ક્રાંતિ’ ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમ જ શ્રમ અને રોજગાર પ્રધાન બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમ જ એક્સપોર્ટ ઇકોસિસ્ટમની ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે.

આ કાર્યક્રમમાં એક્સપોર્ટ્સ અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ત્યારબાદ જુદી જુદી જાણીતી કંપનીઓના પદાધિકારીઓ પોતાના મંતવ્યો રજૂ કરશે.

આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ‘ડિજિટલ ટ્રેડ: લીવરેજિંગ ટૅક્નોલૉજીસ ફોર સીમલેસ ઍન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર એક પ્લેનરી સેશન પણ આયોજિત થશે. આ સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં ભારત સરકારના નીતિ આયોગના વેપાર અને વાણિજ્ય તેમ જ ઇન્ટરનેશનલ કોઓપરેશન ઍન્ડ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગના ફેલો અને ભૂતપૂર્વ પ્રમુખ સલાહકાર અને વડા ડૉ. બદ્રીનારાયણ સહિતના બિઝનેસ નિષ્ણાતો અને કંપનીઓના વડાઓ જુદા જુદા વિષયો પર સંબોધન કરશે.

Back to top button