આપણું ગુજરાત

સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ અકસ્માત, બીમારી કે લાપત્તા થયા બાદ મોતને ભેટતા મૃતકોનાં સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે એ માટે સુરતના એક અગ્નિદાહ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટો લગાવીને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉધના વિસ્તારના મગદલ્લા રોડ પર અંબાનગરની પાછળના ભાગે આવેલા શનિદેવના મંદિર પાસે એક હજારથી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું. બિનવારસી મૃતકો માટે અહીં વિનામૂલ્યે હિન્દુ વિધિ મુજબ અગ્નિસંસ્કાર, ધાર્મિક વિધિ, અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે. છેલ્લાં ૨૩ વર્ષમાં બિનવારસી મૃતકોના આ ફોટો પ્રદર્શનના કારણે ૫૫થી વધુ મૃતકોની સ્વજનો દ્વારા ઓળખ થઈ છે. આખા ગુજરાતમાં આ સંસ્થા એકમાત્ર એવી સંસ્થા છે, જે બિનવારસી મૃતકોના ફોટોનો સંગ્રહ કરીને મકરસંક્રાંતિના પહેલાંના શનિવારે પ્રદર્શન યોજે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?