Gujarat ના આણંદમાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ
અમદાવાદ : ગુજરાતના(Gujarat) આણંદ જિલ્લામાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ થયા છે.આ લોકો નદીમાં નહાવા ગયા હતા. ત્યારે પરિવારનો એક સભ્ય પાણીમાં ડૂબવા લાગ્યો અને તેને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. આણંદ જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર ડૂબી જનારાઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
લોકો મહીસાગર નદીમાં સ્નાન કરતા હોય છે
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે સાંજે ખાનપુર ગામની સીમમાં બની હતી. ઉનાળાની ઋતુમાં પર્યટનની દૃષ્ટિએ આ વિસ્તાર લોકો માટે ખૂબ જ પ્રિય છે. ઉનાળામાં અહીં આવતા લોકો મહીસાગર નદીમાં સ્નાન કરતા હોય છે.
એક સભ્યને બચાવવા બાકીના ત્રણ પણ ડૂબી ગયા હતા.
સ્થાનિક પોલીસે જણાવ્યું કે ગામડી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યો ફરવા આવ્યા હતા. જ્યારે તેઓ નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે પરિવારનો એક સભ્ય ડૂબવા લાગ્યો હતો, તેને બચાવવા માટે અન્ય ત્રણ પણ ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અને જોરદાર પ્રવાહમાં તમામ લોકો વહી ગયા હતા.
ગામલોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
ઘટનાની માહિતી મળતાં જ ગામલોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને માત્ર તેમના મૃતદેહ જ મળી શક્યા હતા. મૃતકોની ઓળખ સુરેશ વાઘેલા, પ્રકાશ વાઘેલા, વેસુબેન સોલંકી અને જ્યોતિ વાઘેલા તરીકે થઈ હતી.
Also Read –