આપણું ગુજરાત

હાય રે અંધશ્રધ્ધાઃ 15 વર્ષની બહેનને મોટા ભાઇ-બહેને મોતને ઘાટ ઉતારી

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેને કથિત રીતે નાની બહેનની અંધશ્રદ્ધામાં હત્યા કરવાની ઘટના બની હતી. સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી હત્યા નીપજાવનાર તેના મોટા ભાઈ-બહેન સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મોટાભાઈની અટકાયત કરી  છે જ્યારે આરોપી બહેન સગીર હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ને એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવી જે બંનેએ પોતાની જ સગી નાની બહેન શારદા (ઉ.વ. 15)ને મારી નાખી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને ભાઈબહેન ખૂબ જ ધાર્મિક હતા અને તેમને એવો ડર હતો કે શારદાને લીધે પરિવારમાં કોઈકનું અકાળે મોત નિપજશે.


વાડીમાલિકને ઘટનાની જાણ થતાં તેમણે તુરંત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. અને તેમની ટીમે બંને ભાઈ-બહેનને અટકાયતમાં લીધા પછી શારદાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથિયાર કબ્જે કરી લેવાયા છે. મોટો ભાઈ રાકેશ છગનભાઈ અને સવિતા છગનભાઈ બંને સામે ધ્રોલ પોલીસે ગુનો નોંધ્યો છે અને વાડી માલિક બીપીનભાઈ બારૈયાને ફરિયાદી બનાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…