મરણ નોંધ

જૈન મરણ

ભોગીલાલ રાયચંદ તુરાખિયાના પુત્ર સ્વ. શ્રી ભૂપેશ તુરાખિયાના પત્ની. અવંતિકા તુરાખિયા તા. ૨૭મી નવેમ્બરે લંડન યુ.કે.માં સ્વર્ગસ્થ થયા છે. તે સ્વ. રમેશ ભોગીલાલ તુરાખિયા અને સ્વ. નરેશ ભોગીલાલ તુરાખિયાના ભાભી. કેરન ભૂપેશ તુરાખિયા પુત્ર. મુકુંદ ભોગીલાલ તુરાખિયા દિયર.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. બાબુભાઇ પેથા ફરીયા (ઉં. વ. ૮૭) તા. ૨૫-૧૧-૨૩ શનિવારના મુંબઇ મધ્યે અવસાન પામેલ છે. દેવઇબેન પેથા ફરીયાના પૌત્ર. મોંઘીબેન ઉગમશીના પુત્ર. હરખુબેનના પતિ. જવાહર, જીતેન્દ્ર, રજનીકાન્ત, પુષ્પાના પિતાશ્રી. સંધ્યા, પુષ્પા, જયશ્રી, ભરતના સસરા. ડાઇબેન ભોજા આણંદા નિસરના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ થોરીયારી હાલે સામખીયારીના ગં. સ્વ. રામુબેન અવચર રણમલ ગાલા (હીરાણી)ના સુપુત્ર રતનશી (ઉં. વ. ૫૭) બુધવાર, તા. ૨૨-૧૧-૨૩ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. જેવાબેન રણમલ આશા ગાલાના પૌત્ર. અમરતબેનના પતિ. લબ્ધી, લાવેશ, ગાયત્રી, હેત, રિદ્ધિના પિતાશ્રી. લાકડીયાના કેવીલ મુરજી ગડાના સસરા. ભાનુબેન, સ્વ. પ્રફુલ, વિમળાના ભાઇ. ગં. સ્વ.દિવાળીબેન ખેરાજ સુરા ગીંદરાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. બરવિધી તા. ૧-૧૨-૨૩ શુક્રવારના સવારે ૯થી ૧૧. ઠે. શાંતીનગર પ્લોટ, સામખીયારી, લાવેશ ગાલા.
દશા શ્રીમાળી વણિક જૈન
પોરબંદર, હાલ ઘાટકોપર સ્વ. ચંદ્રકાંત વલ્લભદાસ શેઠ (ઉં. વ. ૯૦) તેઓ અ. સૌ. સ્વ. ચંદનબેનના પતિ. ચિરાગભાઈ, જાગૃતિ નીરવ વોરા, તોરલ દેવેન ઠક્કરના પિતાશ્રી. દિપાલીબેનના સસરા. ઝીયા, હેના તથા ક્રિષાના ગ્રાન્ડફાધર. સાસરાપક્ષે સ્વ.ધરમદાસ તારાચંદ ખાખરાના જમાઈ. જશવંતભાઈ, ગુણવંતભાઈ તથા હીરાબેન ચંદ્રકાંત પારેખના ભાઈ તા. ૨૫-૧૧-૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૩૦/૧૧/૨૩ ના લવંડર બો, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). ૪:૩૦ – ૬:૩૦.
વિશા શ્રીમાળી ૧૦૮ ના ગોળનું જૈન
પીંપળ (ચાણસ્મા), રસીલાબેન શાહ (ઉં. વ. ૮૬) તે ૨૫/૧૧/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ પોપટલાલ શાહના ધર્મપત્ની વિજય, ચેતન, અક્ષય, જયા, ટીનાના માતુશ્રી. રૂપા, શિલ્પા, હેમાંગી, પંકજકુમાર, દિપકકુમારના સાસુ. પ્રાર્થનાસભા ૩૦/૧૧/૨૩ના ૧૦ થી ૧૨. વર્ધમાન સ્થા જૈન સંઘ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ જૈન
સાડાઉના ભૂપેન ગાલા (ઉં. વ. ૬૨) ૨૬.૧૧ના અવસાન પામેલ છે. હીરાબેન ટોકરશીના પુત્ર. જયાના પતિ. પ્રાચી, અર્ચિતના પિતા. ગીરીશ, નીતાના ભાઇ. કપાયાના લક્ષ્મીબેન ખેતશી શ્રીપારના જમાઇ. પ્રાર્થના: શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સં. શ્રી કરસન લધુ નીસર હોલ, દાદર (પ). ટા. ૪ થી ૫.૩૦.
નાંગલપુરના ભરત દેવજી દેઢિયા (ઉં. વ. ૫૮) તા. ૨૬-૧૧-૨૩ના અવસાન પામેલ છે. લીલબાઇ દેવજીના સુપુત્ર. નીશાના પતિ. માનવ, ફોરમના પિતા. બિદડાના પ્રભાવતી માવજી, રમેશના ભાઇ. ડેપા જયવંતી નાગજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. ભરત દેઢિયા, ન્યુ શીવગીત, ૧૦/૧૮૦, ગરોડીયા નગર, યુબીઆઈની સામે,
ઘાટકોપર (ઇ).
રાયણના રતનબેન કલ્યાણજી કેશવજી ગડા (ઉં. વ. ૮૦) તા. ૨૬/૧૧ના અવસાન પામેલ છે. દેવકાબેન કેશવજીના પુત્રવધૂ. કલ્યાણજીના પત્ની. મનીષ, કલ્પેશ, પ્રજ્ઞા અને મોટા આસંબીયાના નેહા (સાવિત્રી) જયેશ છેડાના માતુશ્રી. બાડાના દેવકાબેન દેવજી માલસીના સુપુત્રી. ખીમજી, નાનજી, હીરજી, માવજી, સોનબાઇના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મનીષ ગડા, ૫૦૧, ચામુંડા વિહાર, રાજારામ તાવડે રોડ દહીંસર પશ્ર્ચિમ.
ડુમરાના કલ્યાણજી સાવલા (ઉં. વ. ૭૪) ૨૬/૧૧ના અવસાન પામેલ છે. સ્વ. જેઠીબાઇ હિરજીના પુત્ર. સ્વ. વિમળા, જવેરના પતિ. સંસાર પક્ષે જીણંદગુણાશ્રીજી, ડુમરા રેખા રાજેશ ગાલા, લીના નિતીન નાગડા, માપર આશા વસંત ગડા, બીપીનના પિતા. રાયધણજર કસ્તુરબેન ભવાનજી, વિઢ હંસાબેન બાબુભાઇ, ડુમરા ભાનુમતી મેઘજી, સાભરાઇ પાનબાઇ રવજીના ભાઇ. રાયધણજર સ્વ. મુલબાઇ જેઠુ, ઉનડોઠ સ્વ. લક્ષ્મીબેન માવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જવેરબેન સાવલા, ૧૮૨/૨૮૦૭, વિદ્યા મંદિરની બાજુમાં, ટાગોર નગર ૮,
વિક્રોલી (ઇ.).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વલ્લભીપુર, હાલ મલાડ સ્વ. ઉમેદચંદ અમૃતલાલ સરવૈયાના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન, (ઉં. વ. ૮૪) તા. ૨૬/૧૧/૨૦૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. ચેતન, હિના નીતિન કુમાર દોઢીવાલા, છાયા અશોક કુમાર કોઠારી, બીના પરેશ કુમાર પારેખના માતુશ્રી. સંગીતાના સાસુ. વિરલ, શ્રેયા દીપ કુમાર શાહના દાદી. વીરપુર નિવાસી, સ્વ. ઓધવજી દેવચંદ શેઠના દીકરી. નાનુભાઈ, શારદાબેન, લિલીબેન, કળુબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોલ જૈન
માંગરોલ નિવાસી હાલ મુલુંડ પરેશભાઈ (ઉં.વ. ૬૯) તે સ્વ. પ્રભાબેન તથા સ્વ. પ્રભુદાસ વિરજી શાહના સુપુત્ર તા. ૨૪-૧૧-૨૩ને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે દિપાબેનના પતિ. વિરલ તથા મેધાના પિતાશ્રી. કિંજલ તથા મોક્ષેસના સસરા. સ્વ. દમયંતિબેન, સ્વ. ઈન્દુબેન, અનસુયાબેન, ભારતીબેન, ગિરિશભાઈ, સુધિરભાઈના નાનાભાઈ. તે સ્વ. હિરાલાલ દામોદર શાહના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૮-૧૧-૨૩, મંગળવારના ૩થી ૫ સ્થળ: શ્રીશ્રી રવિશંકર યોગા સેન્ટર, પરમેશ્ર્વર સેન્ટર, અચીજા હોટલ લેન, આશા નગરની બાજુમાં, ઓફ મદન મોહન માલવ્યા રોડ, મુલુંડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ, હાલ ઘાટકોપર સ્વ. લીલાવતીબેન હસમુખભાઈ કોઠારીના સુપુત્ર પરેશભાઈના પત્ની અ.સૌ. ચંદ્રિકાબેન તા. ૨૫-૧૧-૨૩ના શનિવારે શ્રી અરિહંતશરણ પામેલ છે. તે નેહલ તથા નિરવના માતુશ્રી. તે હર્ષાબેન ભરતભાઈ મહેતા તે ભાવનાબેન જયંતભાઈ તથા પ્રીતિબેન હેમંતભાઈના ભાભી. તે બગસરા નિવાસી હાલ મુંબઈ સ્વ. નવલબેન અમૃતલાલ મડિયાની સુપુત્રી. તે સ્વ. કીર્તિભાઈ, ભરતભાઈ, રીટાબેન શરદભાઈ શેઠ તથા કમલભાઈના બેન. પ્રાર્થનાસભા સોમવારે તા. ૨૭-૧૧-૨૩ના ૪થી ૬ જોલી જીમખાના ઘાટકોપર વેસ્ટ, વિદ્યાવિહારમાં છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો