મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થા. જૈન
ઉપલેટા નિવાસી સ્વ. વ્રજલાલ હરજીવન શાહના સુપુત્ર મહેશભાઈ તે સુધાબેનના પતિ. પૂજા-ધર્મેન તથા માનસી-જયના પિતાશ્રી. કેનીત, કાયરા, અવીરના નાનાજી. સ્વ. હરકિશનભાઈ, સ્વ. દમયંતીબેન, પુષ્પાબેન, ચંદ્રિકાબેન, હર્ષદભાઈના ભાઈ. સ્વ. નટવરલાલ હેમચંદ ગાઠાણીના જમાઈ મુંબઈ મુકામે તા. ૨૭-૧૦-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભટ્ટાવળ, હાલ ડોમ્બિવલીના સ્વ. કપૂરચંદ મગનલાલ શાહનાં ધર્મપત્ની સૂરજબેન (ઉં.વ. ૯૦) તા. ૨૭-૧૦-૨૩ને શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે તે અશોકભાઈ, શૈલેષભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ તથા દિવ્યાબેન અરવિંદકુમાર ગાંધી, બીનાબેન શૈલેશકુમાર દોશીનાં માતુશ્રી. તે ભાવનાબેન, ઈલાબેન, જયશ્રીબેન, રૂપલબેનના સાસુ. રોનક, અક્ષય, ભવ્ય, પાયલ, હેતલ, વિધિ, હિનલ, જાનવીના દાદી. વિઠ્ઠલદાસ ભગવાનદાસ શાહ તથા જસવંતરાય મોહનજી શાહના ભાભી. તે પિયરપક્ષે ચત્રભુજ રૂગનાથ શાહ (અગિયાળીવાળા)નાં દીકરી. નિવાસ: બી-૧૭, શ્રી સોમનાથ સોસાયટી, વીર સાવરકર રોડ, ડી.એન.એસ. બેન્કની બાજુમાં, ડોમ્બિવલી (ઈસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. નીતીન નિસર (ઉં. વ. ૫૯) તા. ૨૫-૧૦-૨૩ના અવસાન પામેલ છે. પાલઇબેન તેજશી લાલજી નિસરના સુપૌત્ર. વેજીબેન વિરમના સુપુત્ર. સુશીલાબેનના પતિ. હિરલ, પૂજાના પિતાશ્રી. અમર પ્રવીણ ડાઘા, સાકેતના નાના. ધનજી, સ્વ. અમરશી, સ્વ. સુરેશ, સ્વ. હસમુખ, ગં. સ્વ. નિર્મળા, હંસાના ભાઇ. લાકડીયાના જેઠીબેન માડણ ભચુ ગડાના જમાઇ. પ્રાર્થનાસભા તા.૩૦-૧૦-૨૩ના સોમવાર ૧૦થી ૧૧.૩૦. ઠે. પાટીદાર મંડળ, સરદાર પટેલ બાગ, પાર્લેશ્ર્વર રોડ, વિલેપાર્લે (ઇસ્ટ) પ્રાર્થના પછી બરવિધી રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દેવગણા હાલ મુંબઇ (કાંદિવલી) ગં. સ્વ. ગજરાબેન અમૃતલાલ શાહ (ઉં. વ. ૯૯) તા. ૨૧-૧૦-૨૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. રજનીકાંતભાઇ, જગદીશભાઇ, સ્વ. હંસાબેન, હેમાબેન, જયશ્રીબેનના માતુશ્રી. સ્વ. પ્રીતિ, જાગૃતિબેન, સ્વ. દિનેશકુમાર, સ્વ. મોહિતકુમાર, ભરતકુમારના સાસુ. સ્વ. આશિષ, સંદીપ, પ્રિતેશ, શ્ર્વેતલ, વિરાલીના દાદી. પુત્રવધૂ જયોતિ, નેહલ, મૈત્રીના દાદી-સાસુ. તે પચ્છે ગામ નિવાસી સ્વ. ચુનીલાલ જયચંદ શાહની સુપુત્રી. માતૃવંદના તા. ૨૯-૧૦-૨૩ના રવિવારના ૧૦થી ૧૨. ઠે. દામોદરવાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (ઇસ્ટ).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. ગીરધરલાલ ગોકળદાસ શેઠના પુત્ર ભુપતભાઇ (ઉં. વ. ૮૩) ગુરુવાર તા. ૨૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. નવીનભાઇ, સ્વ.ભરતભાઇના ભાઇ. મોસાળ પક્ષે પાલીતાણા નિવાસી નગીનદાસ ધરમશીભાઇના ભાણેજ. રંજનબેન મયંકકુમાર ગાંધી, હીતેશ, દેવેન્દ્ર હેમેન્દ્ર, જયના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વણીક જૈન
તળાજા, હાલ ઘાટકોપર સ્વ. રમણીકલાલ જમનાદાસ ફાફડિયાના ધર્મપત્ની ગં.સ્વ. સરોજબેન (ચંદુબેન) (ઉં.વ. ૮૯), તા. ૨૭-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ, રેખા કમલેશ મહેતા, મીતા રાજેશ પારેખ, સોનલ મનીષ શાહના માતુશ્રી તથા દક્ષાબેનના સાસુ. તે સ્વ. ચંપકભાઈ, નવનીતભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. ચંપાબેન વાડીલાલ મહેતા, સ્વ. વસંતબેન હરિલાલ વધાણીના ભાભી. તે નીકીતા પ્રતિક દેતારા તથા પંક્તિ તરૂણ જૈનના દાદી. પિયરપક્ષે ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. શાંતિલાલ ભુદરદાસ ભાયાણીના દિકરી. સર્વપક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૯-૧૦-૨૩, ૪ થી ૬, પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
હાલાપુરના જવાહર (ઝવેરચંદ) મારૂ (ઉં. વ.૮૪) તા. ૨૭-૧૦-૨૦૨૩ના અવસાન પામેલ છે. ખેતબાઇ દેવરાજ કલ્યાણજીના પુત્ર. સ્વ. જ્યોતિના પતિ. ડો. નિલેશ, નીતા, વૈશાલીના પિતાશ્રી. મધુકર, મહેન્દ્ર, શરદ, શશીકાંત, મણીબેન, દમયંતી, મીના, આશા, ઇલાના ભાઇ. નરેડીના લક્ષ્મીબેન ભાણજી શીવજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ.: ડો. નિલેશ મારૂ, સી-૪૦૩, અનંત રીજેન્સી, એમ.એમ.માલવીયા રોડ, મુલુંડ (વે), મું-૮૦.

તલવાણાના લક્ષ્મીચંદ મુરજી દેઢિયા. (ઉં. વ. ૮૨) તા.૨૭-૧૦-૨૩ ના અવસાન પામેલ છે. દેવકાંબેન મુરજી નપુના પુત્ર. સ્વ. દમયંતી, સ્વ. હેમલતાના પતિ. ચેતના, મનીષા, સોનલ, ચિરાગના પિતાશ્રી. મગનલાલ, તલકશી, શાંતિલાલ, ઝવેરીલાલ, નાગલપુર મણીબેન શીવજીના ભાઈ. બિદડા ભાનુબેન તેજશી નાગપાર, તલવાણા મણીબેન નાનજી માલશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચિરાગ દેઢિયા. ૧૬૦૩, સાકેત બિલ્ડીંગ, સિધ્ધાર્થનગર, ગોરેગામ (વે), મું. ૧૦૪.

બિદડાના હંસાબેન દેઢિયા (ઉં. વ. ૭૨) તા. ૨૬-૧૦-૨૩ ના અવસાન પામેલ છે. જીવીબેન જીવરાજના પુત્રવધુ. વલ્લભજીના પત્ની. ગીતેષ, નિશા, મનીષાના માતુશ્રી. નવીનાળ પુપ્પાબેન જાદવજી વોરાના સુપુત્રી. ચંદ્રકાંત, મણીબેન, સં.પ. પ.પૂ. નિપુણાબાઇ મ.સ., વર્ષાબેનના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન સંઘ, એલ.ટી. રોડ, બોરીવલી (વે).

ભુજપુરના મુકેશ (ટીનુ) કરમશી દેઢિયા (ઉં. વ. ૫૩) તા. ૨૫/૧૦/૨૦૨૩ ના અવસાન પામ્યા છે. સ્વ. જવેરબેન કરમશીના પુત્ર. સ્વ. નીશાના પતિ. ચૈત્ય, મંથનના પિતા. સ્વ. મીના, મનોજના ભાઈ. સરલાબેન પ્રવિણ ગડાના જમાઈ. પ્રાર્થના સભા : શ્રી જગવલ્લભ પાર્શ્ર્વનાથ અચલગચ્છ જૈન ઉપાશ્રય હોલ, લક્ષ્મી પૂજા બિલ્ડીંગ, કેબીન રોડ, દેરાસર લેન, ભાયંદર-ઈસ્ટ. ટા. ૩થી ૪.૩૦.

કાંડાગરાના અ.સૌ. સેજલ જયંત છેડા (ઉં. વ. ૪૭) ૨૮-૧૦-૨૩ ના અવસાન પામેલ છે. જયશ્રી હસમુખના પુત્રવધૂ. જયંતના ધર્મપત્ની. ઈશિતા, લીસાના મમ્મી. નાલાસોપારાના પુષ્પાબેન અશ્ર્વિનભાઈ નાળેકરના સુપુત્રી. ગોરેગામના ફાલ્ગુની રજનીકાંત ઓઝાના બેન. પ્રા. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, રામજી આસર સ્કુલની સામે, એમ.જી. રોડ, જોષી લેન, ઘાટકોપર (ઈ). ટા. ૪ થી ૫.૩૦.

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર, હાલ વિલેપાર્લે, લીલાબેન, તે ચંપકલાલ ભગવાનજી ગાંધીનાં પત્ની, (ઉં. વ. ૯૧) તે ડૉ. જયેશ-રીટા, રાજેશ-નીતા તથા અશેષ-શિલ્પાનાં માતુશ્રી. ડો. રોઝીલ- ડો. અદિતિ, ડો. ચૈતી, નિર્મિત, ટૉસિન, પયોજા અને ટીશા-જયનાં દાદી. તે પિયરપક્ષે સંઘવી છોટાલાલ જીવણલાલની દીકરી. સ્વ. ભોગીલાલ, સ્વ. કસ્તૂરીબેન, સ્વ. કંચનબેન અને સ્વ. સુભદ્રાબેનનાં બહેન તા. ૨૬-૧૦-૨૦૨૩ નાં અરિહંતશરણ પામ્યા છે પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દિગંબર મુમુક્ષ જૈન
વિછીયા, હાલ ગોરેગામ સ્વ. અંજવાળીબેન વૃજલાલ ફુલચંદ ધોળકીયાના પુત્રવધૂ હેમલતાબેન (ઉં.વ. ૮૦) તે સ્વ. રમેશભાઈના પત્ની. પિયર પક્ષે (નાગપુર) સ્વ. ગુલાબબેન શાંતિલાલ સુખલાલ કામદારના દીકરી. રાજુલના માતુશ્રી. દીપકભાઈ કાંતિલાલ તુરખીયાના સાસુ. સ્વ. અરુણભાઈ, સ્વ. ભરતભાઈ તથા વિજયભાઈના ભાભી. તા. ૨૫-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પાલનપુરી જૈન
સ્વ. સતીશ કાંતિલાલ ગાંધી તા. ૨૮-૧૦-૨૩ના (ઉ. વ. ૭૨) ડોલીબેન ગાંધીના પતિ. અતિત અને માનસીના પિતા. નેહા અને વીનીતના સસરા. ક્રિશ ગાંધી, વિહાન અને અરિના શાહના દાદા. મહેન્દ્ર, નીતીન, સ્વ. ઉપેન્દ્ર, સ્વ. અનુપ, સ્વ. રાજેશ ગાંધી, સ્વ. લતાબેન, અનિલાબેન, સ્વ. સુવર્ણાબેન અને શ્રી પન્નાબેનના ભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૦-૧૦-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. જલારામ હોલ, એન. એસ. રોડ. નં.૬, હાટકેશ સોસાયટી, જે.વી.પી.ડી. સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…