મરણ નોંધ

જૈન મરણ

વાગડ વિ.ઓ. જૈન
ગામ કકરવાના દર્શન નેણશી નંદુ (ઉં.વ. ૪૨) તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વિરાબેન ભુરા રાણા નંદુના પૌત્ર. કેસરબેન નેણશીના સુપુત્ર. ભારતીના પતિ. શ્ર્વેત, ફિયોનના પિતા. રક્ષા, રોહિતના ભાઈ. ભચાઉના સ્વ. જવેરબેન જાદવજી જખુગાલાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૩-૧૦-૨૪ના સ્થળ: કરશન લધુભાઈ નિસર હોલ, દાદર, ૧૦.૩૦થી ૧૨.૦૦ પ્રાર્થના પછી બરવિધિ રાખેલ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના કેસરબેન ગડા (ઉં.વ. ૮૮) તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. ડાઈબેન ભુરા ખેતશીના પુત્રવધૂ. સ્વ. હરખચંદ ભુરાના ધર્મપત્ની. મનસુખ, ભરત, દીપક, અમૃત, પુષ્પા, સંગીતા, મનીષાના માતુશ્રી. રંજન, ગુણવંતી, મીના, ચુનીલાલ, વિનોદ, મણીલાલ, રાજેશના સાસુ. પરમાબેન રાયશી માડણ નિસરની દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: ૯/૨, વિઠ્ઠલકુંજ, વી.પી. રોડ, અંધેરી (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના દમયંતી ગાલા (ઉં.વ. ૬૮) ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન દેવરાજ ગણપતના પુત્રવધૂ. દિનેશના પત્ની. નિમેશ, ભાવીનીના માતા. રાયધણજર માતુશ્રી સુંદરબેન પદમશી રાયશીના સુપુત્રી. ઠાકરશી, પ્રેમીલા, વસંત, હરખચંદ, ચંદન, અલ્પા (આરતી)ના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિમેષ દિનેશ ગાલા, સી/૨, ૧૦૪, સે. ૩, શાંતિનગર, મીરા રોડ-૪૦૧૧૦૭.

બારોઇના શ્રી નવીનચંદ્ર મોરારજી કેનીયા (ઉં.વ. ૮૧) તા. ૧-૧૦-૨૪ના બેંગલોર મધ્યે અવસાન પામેલ છે. મુરીબાઇ મોરારજીના પુત્ર. પુષ્પાબેનના પતિ. વીરેશ, કેતન, નિતલના પિતા. પ્રવિણચંદ્ર, વસંતલાલ, હરખચંદ, શાંતાબેનના ભાઇ. છસરાના દેવકાંબેન રામજીના જમાઇ. પ્રાર્થના: શ્રી હાલારી વિશા ઓસવાલ સમાજ, રણજીત સ્ટુડીયોની સામે, દાદર (ઈ) ટા. : બપોરે ૪ થી ૫.૩૦.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન
વઢવાણ નિવાસી હાલ બોરીવલી સ્વ. ધીરજબેન મનસુખલાલ શાહના સુપુત્ર ભુપેન્દ્રભાઈ (ઉં.વ. ૭૮) ૧/૧૦/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. સત્યેન તથા વિકીના પિતા. સ્વ. દેવેન્દ્રભાઈ, સુરેશભાઈ, સ્વ. સુરેખાબેન વસંતલાલ દોશી, જયશ્રીબેન નરેશકુમાર શાહ, સ્વ. નીતા દિનેશકુમાર શાહના ભાઈ. સ્વ. ડાહ્યાલાલ મોરારજી પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.

ઝાલાવાડી સ્થાનકવાસી વિશા શ્રીમાળી જૈન
વઢવાણ શહેર નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. શાંતિલાલ નાગરદાસ ઓઘડભાઈ શાહના ધર્મપત્ની કળાબેન (ઉં. વ. ૯૦) ૧-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીલેશ, નીતિન, હર્ષા તથા શિલ્પાના માતુશ્રી. કલ્પના, હિના, કમલેશભાઈ, ધીમેશભાઈના સાસુ. તે એકતા સાહીલ ઉદાણી, કોમલ કુનાલ શાહ, જશ-દેવાંશી, જીલ દર્શક સંઘવી, કુનાલ, ચિંતન, રૂચિત, ઈનાયા, ધીરના દાદી-નાની. તે સ્વ. કસ્તૂરીબેન તુલસીદાસ ગોપાણીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. એડ્રેસ: ૧૦૬ બી, પારસનાથ બિલ્ડીંગ, સુધાપાર્ક, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત