મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા નિવાસી હાલ જુહુસ્કીમ (પાર્લા) પૂ. ચંદનબેન તથા તુલસીદાસ વસનજી દોશીના પુત્રવધૂ કનકલત્તા જતીનચંદ્ર (ઉં. વ. ૭૪) તે અમીબેન-અમીષકુમાર તથા પ્રિયેનભાઈ-જીગીશાના માતુશ્રી. તે શૈલેનભાઈ-કેતકીબેન, દિપ્તીનભાઈ-પારૂલબેન, કલ્પનાબેન જ્યંતીલાલ, મીતાબેન અશ્ર્વીનકુમાર, અલ્કાબેન રાજેશકુમારના ભાભી. તે ચોટીલા નિવાસી નરેન્દ્રભાઈ-કોકીલાબેન, જીતેન્દ્રભાઈ-છાયાબેન, અરૂણાબેન અજીતકુમાર, રેખાબેન સુધાકરભાઈ, જયશ્રીબેન સતીનકુમારના બેન. માહીર, ધૈર્ય, રીઆન તથા હીરના દાદી-નાની શુક્રવાર, ૨૭-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૯-૯-૨૪ના ૪ થી ૬, વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપારલે (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

હરસોલ સત્તાવીશ વિશા શ્રીમાળી જૈન
અડપોદરા નિવાસી, હાલ પારલા સ્વ. બાબુલાલ નગીનદાસ શાહ અને ઈન્દુમતિ બાબુલાલ શાહના પુત્ર કિર્તીભાઈ શાહ (ઉં. વ. ૬૪) ૨૮-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે વર્ષાબેનના પતિ. રીલેશ, વિકેત્વના પિતા. રોનક, શ્રુતિના સસરા. વિયાન, વિહાનના દાદા. પંકજ, ભાવેશ, પ્રિતીના મોટાભાઈ. અમૃતલાલ મોતીચંદ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, ૨૯-૯-૨૪ના ૭ થી ૯, નવા સમાજ મંડળ કોલેજ, દીક્ષીત ક્રોસ રોડ નં. ૧, વિલે પારલે (ઈસ્ટ). પીયર પક્ષનું બેસણુ સાથે છે.

વાગડ વિ.ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. રવજી સત્રા (ઉં. વ. ૭૯) અવસાન પામેલ છે. સ્વ. લાખઈબેન ભારમલના પુત્ર. ગં.સ્વ. અમૃતબેનના પતિ. સ્વ. કાનજી, સ્વ. જયશ્રી, અમીત, પુષ્પા, અનીતા, અંકિતાના પિતાશ્રી. રિયા, ધીરજ છેડા, અશ્ર્વીન ગાલા, બાબુલાલ ખુથીયાના સસરા. હેમાંશ, ધ્રુવાનના દાદા. લાકડીયાના સ્વ. ચાપુબેન થોભણ ખીમજી ડાઘાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ડી.-૩૫૦, પાનબાઈ નગર,
નાલાસોપારા-વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરા (માંડવા) નિવાસી હાલ ભાવનગર સ્વ. ભુપતભાઇ હરજીભાઇ શાહના ધર્મપત્ની દમયંતીબેન (ઉં. વ. ૭૯) તા. ૨૭-૯-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. રમણીકભાઇ, સ્વ. અમૃતલાલભાઇ, હીરાબેન, મધુબેનના નાનાભાઇના પત્ની. અતુલ, પરેશ, હેમાના માતુશ્રી. નીતા, આશા, જીજ્ઞેશકુમારના સાસુ. પિયર પક્ષે શાહ જગજીવનદાસ પ્રેમચંદ દિહોરવાળાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી હાલ અંધેરી શાંતીલાલ પ્રેમચંદ સંઘવી (ઉં. વ. ૮૯) તે કુંદનબેનના પતિ. રાકેશ તથા મનીષાના પિતાજી. સોનલ તથા કેતનકુમારના સસરા. હર્ષ, શ્રુતિના દાદા. બાલુભાઇ મગનલાલ શાહના જમાઇ (પાલિતાણાવાળા) તા.૨૮-૯-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
સાવરકુંડલા હાલ ઘાટકોપર સ્વ.નવીનભાઈ ગીરધરલાલ શેઠના ધર્મપત્ની ઇન્દુબેન (ઉ.વ.૭૯) ૨૬.૯.૨૪ ગુરૂવાર અરિહંતશરણ પામેલ છે. તે રાજુલબેન મયંકકુમાર, હિતેન્દ્ર દેવેન્દ્રના માતુશ્રી. કિરણબેન અને બીનાબેનના સાસુ. અશ્ર્વિની, રાહુલ, ઋષભ, શિખાના દાદી. પિયરપક્ષે શાંતિલાલ પાનાચંદ દોશી (ઉનાવાળા) શાંતિલાલ નારાયણદાસ પારેખ, સ્વ.અશોકભાઈ, શરદભાઈ સ્વ.વિનોદભાઈ,પુષ્પાબેન, કોકિલાબેન, સ્વ.નટુભાઈ, હંસાબેન, પ્રવીણાબેન, પ્રફુલાબેનના મોટાબેન. સ્થળ:- ઇ-૧૦૨, પટેલ નિવાસ ઓલ્ડ માણેકલાલ એસ્ટેટ, ઘાટકોપર ટેલિફોન એક્સચેન્જ નજીક (વે).

દશા શ્રીમાળી દેરાવાસી જૈન
અમદાવાદ નિવાસી હાલ બોરીવલી સ્વ.જવાહરલાલ ચીમનલાલ શાહના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.૯૨) તે પારડી નિવાસી સ્વ.ધનલક્ષ્મીબેન જયકિશનભાઈ શ્રોફના દીકરી. જયેશ, અવની, જીગીષાના માતુશ્રી. સુનિતા, પરિમલ તથા રાકેશના સાસુ. ધમીન, દર્શક, દીપ તથા હિતના બા. ૨૬/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સ્થાનકવાસી દશા જૈન
નોલીનિવાસી (હાલ ઘાટકોપર) સુરેશભાઈ ભાઈલાલ શાહના પુત્ર હિતેશભાઈ (ઉ.વ.૫૪) શુક્રવાર ૨૭-૯-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે પૂજા (પિન્કી)ના પતિ. હેનિલના પિતા. અલ્પા મનિષભાઈ મહેતાના ભાઈ. વિક્રમભાઈ પ્રભુલાલ બેન્કરના જમાઈ. શ્રીપાલ વિક્રમભાઈ બેન્કર, ડિમ્પલબહેન પારસભાઈ, તેજલ અનઘ માવાણીના બનેવી. પ્રાર્થનાસભા સોમવાર, તા.૩૦-૯-’૨૪ના ૪થી ૬. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશાશ્રિમાળી સ્થાનકવાસી જૈન
દામનગર નિવાસી હાલ વિલે પાર્લે સ્વ હરકુવરબેન દામોદરદાસ ગિરઘરભાઈ અજમેરાના સુપુત્ર સૂરેશભાઈ અજમેરા (ઉં.વ.૮૪) ૨૭/૦૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. રાહુલભાઈ, રૂપાલિના પિતા. પૂર્વી તથા નીજલભાઈના સસરા. સ્વ.સવિતાબેન જેઠાલાલ તુરખિયા (લાઠી)ના જમાઈ. પ્રવિણભાઇ, સ્વ.છગનભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.ચંદુભાઈ, સ્વ.પ્રફુલભાઈ, સ્વ.વિમળાબેન, સ્વ.જયશ્રીબેન, ઇન્દિરાબેન, વીણાબેનના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર તા.૩૦/૦૯/૨૪ના ૪-૬ : જલારામ હોલ, એન એસ રોડ ૬, હટકેશ સોસાયટી, જે વી પી ડી સ્કીમ, મુંબઈ ૪૯ .

કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના પુષ્પાબેન (બેબીબાઇ) ગાલા (ઉ.વ.૮૨) ૨૭/૯/૨૪ના અવસાન પામેલ છે. સ્વ. કરમશી હીરજી પાસુ ગાલાના ધર્મપત્ની. દેશલપુર કંઠી સ્વ. રતન દેવજી (જખુ) ચના સોનીના સુપુત્રી. હર્ષા, પરેશ, નિલેશ, દિપેશના માતુશ્રી. સ્વ. જાદવજી, કોડાય લક્ષ્મીબેન ખીમજી ટુંડાના રૂક્ષ્મણી ગાંગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરેશ ગાલા, એ/૫૦૧, શિવકૃપા, રાનીસતી માર્ગ, ધનજીવાડી, મલાડ (ઇ.), મુંબઇ-૯૭.

તલવાણાના લક્ષ્મીબેન પ્રેમજી કેશવ દેઢિયાના જમાઈ તે શ્રી ધીરજલાલ ચીમનલાલ શાહ (ઉ.વ. ૮૧) (વતન ધીણોજ હાલ કાંદીવલી) ૨૭/૯/૨૪ના અરિહંત શરણ પામ્યા છે. રૂક્ષ્મણીબેનના પતિ. ગામ ધીણોજના હીરાબેન ચીમનલાલ હિરાચંદ શાહના સુપુત્ર. જયંતીભાઈ, નવીનભાઈ ગીરીશભાઈ, અરવિંદભાઈ, હસુમતીબેન અને કોકીલાબેનના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રૂક્ષ્મણીબેન શાહ, ગૌતમ નંબર ૩, એ/૧૨, બીજે માળે, દામોદર વાડી, અશોક ચક્રવતી રોડ, કાંદીવલી (ઇ), મુંબઈ ૦૧.

નાના ભાડિયાના ભાનુબેન શામજી દેવજી ગડા (ઉ.વ.૯૦) તા. ૨૬-૦૯-૨૪ના અરિહંત શરણ પામેલ છે. ખીમઈબાઈ દેવજીના પુત્રવધુ. શામજીભાઈ દેવજીના પત્ની. મુકેશ, સુરેશ, બીના, ઉમેશના માતા. તલવાણાના સુંદરબેન રવજીના પુત્રી. જીવરાજ, નાગજી, શાંતિ, દેવચંદ, પોપટના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. : ઉમેશ શામજી ગડા, ૫ જય નિકેતન, ૧લો ગોલીબાર રોડ, સાંતાક્રુઝ (ઈ), મુંબઈ-૫૫.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ