મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ મલાડ મૃદુલાબેન ઘેલાણી (ઉં. વ. ૭૭) મનહરભાઈ નાનાલાલભાઈના ધર્મપત્ની. તે બિનીતા, શિલ્પા, વૈશાલી, પ્રેમલના માતુશ્રી, વિજયાબેન રતીલાલ ગાંધીના પુત્રી, રિદ્ધિ, જયેશ, નીલેશ, સ્વ. મયુરના સાસુજી. મહેશભાઈ તથા મધુબેનના ભાભી. ગિરીશ, પંકજ, સ્વ. હર્ષા, રશ્મિન મોટાબેન તા. ૧૮-૯-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી ગુર્જર જૈન
ગામ કચ્છ વાંકીના હાલે સાયન મુંબઈ ગં.સ્વ. કુસુમબેન અમૃતલાલ ગાંધી (ઉં. વ. ૯૦) બુધવાર, તા. ૧૮-૯-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિશોરભાઈ ત્થા સાધ્વીજી મુક્તિયશાશ્રીજીના માતુશ્રી. હંસાબેનના સાસુ. નીરવ, જીનલના દાદી. સ્વ. નેમીદાસભાઈ, દિનેશભાઈ, ગુલાબબેન, ચંચળબેન ત્થા વિમળાબેન, ગં. ઉર્મીલાબેન તથા જયવંતીબેનના ભાભી. ગામ કચ્છ અંજારના મણીબેન પાસવીર આસકરણ સંઘવીના સુપુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ૧૬૪, ૫, વર્ધમાન નગર, જૈન સોસાયટી, સાયન વેસ્ટ.
દેરાવાસી જૈન
પાટણ નિવાસી (કનાસાનો પાડો) હાલ વાલ્કેશ્ર્વરના ભરતભાઈ કાન્તિલાલ શાહ તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના ૫ થી ૭, યશવંતરાય ચૌહાણ હોલ, જે.બી. માર્ગ, નરીમાન પોઈન્ટ, મંત્રાલયની સામે મુંબઈ. લતાબેન ભરતભાઈ શાહ, હેમાબેન- રાકેશભાઈ શાહ, સંજયભાઈ -દિપાલીબેન શાહ, ભાવનાબેન- રાજેન્દ્રકુમાર બાફના, બાબુ રાજેન્દ્રભાઈ ઝવેરીના જમાઈ, નયની, રિયા, મિહીર, મેઘલ, ખુશ્બુ, દિવ્યમ, કાન્તિલાલ નાનાલાલ શાહ.
જામનગર વિશા ઓશવાલ જૈન
ભાઈશ્રી દિનેશ તે સંતોકબેન ગુલાબદાસના પુત્ર (ઉં.વ. ૮૦) હાલ વિલેપાર્લા તા. ૧૮-૯-૨૪, બુધવારના અરિહંતશરણ પામેલ છે. અરુણાબેનના પતિ. રાજ તથા નીપાના પિતા. સોનુ, વિકાસના સસરા. અરવિંદ, નવીન, માનવંતીબેન, પ્રભાબેન, રસીલાબેન તથા સાધ્વીજી શુભોદયાશ્રીજીના ભાઈ. હરીલાલ કેશવલાલના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
વઢવાણ નિવાસી હાલ કાંદિવલી વિશાલ શાહ (ઉં.વ. ૪૪) રવિવાર, તા. ૧૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રેખા તથા સંજય ભાઈલાલ શાહ (નારીચાણીયા)ના સુપુત્ર. શ્રેયાના પતિ. મીરા પારસ મહેતાના ભાઈ. સ્વ. કિરીટભાઈ, વર્ષાબેન ભાસ્કરભાઈ ગોસલીયા, ડૉ. રન્નાબેન બિપિનભાઈ દોશી, નિખિલભાઈ, નીતાબેન હરેશભાઈ પારેખ તથા ચેતનના ભત્રીજા. સાસરા પક્ષે સૂરત નિવાસી અશિતભાઈ બિપિનભાઈ ઝવેરીના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૦-૯-૨૪ના જાશ્મીન હોલ, ચોથે માળે, રઘુલીલા મોલ, કાંદિવલી (વેસ્ટ), ૪.૦૦થી ૬.૦૦.
વિશા ઓસવાળ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન
પ્રભાસ પાટણ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. રમેશભાઈ મુલચંદ શાહના ધર્મપત્ની ગં. સ્વ. સુનીલાબેન (ઉં. વ. ૭૫) તા. ૧૮-૯-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. કોમલ, વિશાલના માતુશ્રી. જીગેનભાઈ ઝવેરી, શ્ર્વેતાના સાસુ. કાવ્યાના દાદી. યશ અને દેવના નાની. સ્વ. પાનવંતીબેન છોટાલાલ ભગવાનજી ભાઈની દીકરી. ઠે. ૨-સી, લક્ષ્મીદત્ત સદન, પહેલે માળે, ૪થો ગોલીબાર રોડ, સાંતાક્રુઝ (ઈસ્ટ). (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.)
ઝાલાવાડી સ્થા. જૈન
નંદરબાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન મણીલાલ વોરાના પુત્રવધૂ કમળાબેન (ઉં. વ. ૬૫) તા.૧૭-૯-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સુરેશભાઇના ધર્મપત્ની. સંકેતભાઇના માતા, મમતાબેનની સાસુ. નંદરબાર નિવાસી સ્વ. રૂખમાબેન વિઠ્ઠલભાઇ પટેલની દીકરી. કિવીકાની દાદીમા. (લોકિક વ્યવહાર બંધ છે).
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલિતાણા નિવાસી સ્વ. જયાબેન નટવરભાઇ કપાસીના પુત્રી દિવ્યાબેન (બેબીબેન) કપાસી (ઉં. વ. ૭૬) તા. ૧૮-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કિરણભાઇ અને સ્વ. શોભનાબેનના બેન અને સ્વ. સરોજબેનનાં નણંદ લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ ઘાટકોપર રસિકલાલ ચત્રભુજ મોદી (ઉં. વ. ૮૯) તે સ્વ. ઇલાબેનના પતિ. નિમેષભાઇ, સ્વ. હિતેશભાઇના પિતાશ્રી. શૈલાબેન તથા પારૂલબેનના સસરા. તે સ્વ. રતિલાલભાઇ, સ્વ. જયંતીલાલભાઇ, સ્વ. ત્રંબકલાલના નાનાભાઇ. સ્વસુર પક્ષે સ્વ. જયંતીલાલ મોહનલાલ વોરાના જમાઇ. તે નમન, પૂજન અને વત્સલના દાદા. તા. ૧૮-૯-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. (દેહદાન અને ત્વચા દાન કરેલ છે.)
મચ્છુ કાંઠા વિશા શ્રીમાળી જૈન
જૂના ઘાટીલા નિવાસી હાલ મુંબઇ ભાગ્યવંતિબેન નીમચંદભાઇ હરજીવનદાસ લોદરીયાના પુત્ર જગદીશભાઇના ધર્મપત્ની હેમાબેન (ઉં. વ. ૭૨) તા. ૧૮-૯-૨૪ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે કાજલ જીજ્ઞેશ પટેલ તથા માનસી જીતેન દેઢિયાના માતુશ્રી. દેવાંશ તથા પર્લના નાની. નવીનભાઇ-મંજુલાબેન, રજનીભાઇ-હંસાબેન, બિપીનભાઇ-જાગૃતિબેન, રાજેશભાઇ-રક્ષાબેન, નિલાબેન ધીરેન્દ્ર સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી. પીયર પક્ષે વ્રજલાલ ચંદુલાલ મહેતાની દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડાના (વીંછી ફરીયો) તનુજ બિપીન વોરા (ઉં. વ. ૩૧) તા.૧૭-૯ ના અવસાન પામેલ છે. સ્વ. પન્ના બિપીન વોરાના સુપુત્ર. સ્વ.ઝવેરબેન રતનશી લાલજીના પૌત્ર. સ્મિતના ભાઈ. બિદડાના સ્વ.ગાંગબાઈ માવજી નાનજી પોલડીયાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. સ્મિત વોરા. ૨૦૧, બિલ્ડીંગ નં.૧૦, નવદુર્ગા સીએચએસ વર્ધમાન નગર, કે.એમ. પી. ડી. શાળાની બાજુમાં, તુલીંજ રોડ, નાલા સોપારા (ઈસ્ટ), પીન-૪૦૧૨૦૯.
મુંદ્રાના હાલે નાગપુર અંજલી હર્ષિલ શાહ (છેડા) (ઉં. વ. ૪૦) તા. ૧૭- ૯-૨૪ના અવસાન પામેલ છે. વર્ષા બિપીન, તરલા તનસુખના પુત્રવધૂ. હર્ષિલના પત્ની. સરલા રામશરણ મદાનના પુત્રી. મંજુ સંજીવ તનેજાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. બિપીન માવજી શાહ. ૫૬, વર્ધમાન નગર, નાગપુર ૪૪૦૦૦૮.
નવાવાસના પ્રવિણ ડુંગરશી વીરા (ઉં. વ. ૭૬) તા. ૧૭-૯-૨૪ ના અવસાન પામેલ છે. વેલબાઈ ડુંગરશી શીવજીના પુત્ર. પ્રભાબેનના પતિ. રેખા, જ્યોતી, પ્રીતિ, જયેશના પિતાશ્રી. જયંતિલાલ, દિનેશ, ખુશાલ, તારાચંદ, કિશોરના ભાઈ. કોટડી મહા. ખેતબાઈ મણશી શીવરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રિતી મહેતા, રૂમ નં. ૨૬-એ, હબીબ મેન્સન, ૧લે માળે, બી.જે.માર્ગ, ભાયખલા (વે).
નાની ખાખરના ડો. વિનોદ વસનજી છેડા (ઉં. વ. ૮૦) તા. ૧૭-૯-૨૪ના અવસાન પામ્યા છે. લક્ષ્મીબેન વસનજી પાસુભાઈ છેડાના સુપુત્ર. હેમાબેનના પતિ. દેવાંગ, જીગ્નાના પિતાશ્રી. નવિન, શાંતિલાલ, વસંત, નાની ખાખરના કસ્તુરબેન દિનેશ લખમશી, વડાલાના ભાનુમતી મુલચંદ દેવજીના ભાઈ. મોરબીના ઈન્દુબેન રમણીકલાલ પારેખના જમાઈ. પ્રા. માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ નારાણજી શામજી વાડી (બીજે માળે), ટા. ૪ થી ૫.૩૦. નિ. ડો. વિનોદ છેડા : બી/૫૦૧-૨, રામજસ એપા., દેવીદાસ રોડ, બોરીવલી-વે.
મોટા લાયજાના રતનબેન નાનજી સાવલા (ઉં. વ. ૮૨) તા. ૧૮-૯-૨૪ના અવસાન પામેલ છે. નાનજીભાઇ મુરજી સાવલાના ધર્મપત્ની. મેઘબાઇ મુરજી હંસરાજ સાવલાના પુત્રવધુ. મોટા લાયજા કંકુબેન પાલણ હંસરાજ છેડાના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. નિ. રાજેશ ખેરાજ દેઢીયા, એ/૧૦૩, શક્તિ ટાવર, શક્તિનગર, દહીંસર (ઇ.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાંચટોબરા નિવાસી હાલ મુલુંડ ધીરજલાલ નાગરદાસ સંઘવીના સુપુત્ર જયેશ (ઉં. વ. ૫૫) છાયાના પતિ. દેવાંગી અને આદિત્યના પપ્પા. નરેશભાઈ, રેખાબેન ભરતકુમાર સંઘવી, મિતાબેન મનીષકુમાર દોશીના ભાઇ. જાગૃતિબેનના દિયર. શ્ર્વસુરપક્ષે નવીનચંદ્ર છોટાલાલ બેચરદાસ શાહ મેથળાવાળાના જમાઈ તા.૧૭/૯/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા.૨૨/૯/૨૪ના ૧૦.૦૦. જીવરાજ ભાણજી સ્મારક ટ્રસ્ટ હોલ અશોક નગર મુલુંડ વેસ્ટ.
દશાશ્રીમાળી જૈન
રાજકોટ નિવાસી હાલ મુંબઈ (પ્રાર્થના સમાજ) અ.સૌ. શોભના (સર્યુબેન) મહેતા (ઉં. વ. ૭૪) તા.૧૭/૯/૨૪ મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે કુમારભાઈ પ્રભુલાલ મહેતાના ધર્મપત્ની. અમિતભાઇ, અમીશીબેન દોશીના માતુશ્રી. અમીબેન મહેતા તથા રૂપેશભાઈ દોશીના સાસુ. કિરીટભાઈ, સર્યુબેન શેઠ, સ્વ. કીર્તીદા મહેતાના ભાઈના ધર્મપત્ની. પિયરપક્ષે ગોંડલ નિવાસી જયાબેન નાથાલાલ શેઠના સુપુત્રી. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…