મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પોરબંદર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રતાપચંદ્ર જેઠાલાલ મહેતાના પત્ની સુશીલાબેન મહેતા (ઉં. વ. ૯૩) તા. ૨૬-૫-૨૪ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇચ્છાબેન મગનલાલ પારેખના પુત્રી અને જગદીશ મહેતા, વિભા જતીન શેઠ, ચેતન મહેશ લાઠીયા અને રાજેશ્રી હરેશ લાઠીયાના માતુશ્રી. ભાવના મહેતાના સાસુ. ઝંખના મહેતાના દાદી સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી બેતાલીસ જૈન
કડી નિવાસી મુંબઈ હાલ વિલેપાર્લે, સ્વ. પુષ્પાબેન અનુભાઈ મંગળદાસ શાહના પુત્ર વિજય અનુભાઈ શાહના ધર્મપત્ની અ.સૌ. મીના વિજય શાહ (ઉં.વ.૬૨) તે શનિવારના રોજ તા. ૨૫-૫-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દિવ્યાંગના માતુશ્રી. તે ધ્રાંગ્રધ્રા નિવાસી હાલ સાન્તાક્રુઝ વેસ્ટ. સ્વ. લીલાબેન રતિલાલ શાંતિલાલ દફતરીના દિકરી. પ્રાર્થનાભા અને લોકિક વ્યવહાર બંધ છે.

શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન
મોટી પાનેલી નિવાસી હાલ ઉમરગામ સ્વ. મોહનલાલ પોપટલાલ મહેતાના પુત્ર સુરેશકુમાર (ઉં.વ.૬૯) તે શોભનાબેનના પતિ. મેઘા અમિત અગરવાલ તથા જીના ઋષભ મહેતાના પિતા. ચંદ્રકાંત (બટુકભાઈ), સ્વ. કીર્તિભાઇ, સૌ. હંસાબેન દિનેશકુમાર મહેતા, સૌ ઇન્દુબેન નલિનકાંત શાહના નાનાભાઈ. દિવ્યેશભાઈના કાકા. રાજના નાના ૨૪/૫/૨૪ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૮/૫/૨૪ના સવારે ૧૦.૩૦ થી ૧૨, શ્રી સોળસુંબા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ઉપાશ્રય, ઉમરગામ રોડ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
લત્તીપૂર નિવાસી હાલ કાંદિવલી પ્રવિણાબેન મનહરલાલ દામજી સંઘવી (ઉં.વ. ૮૩) તે ૨૩/૫/૨૪ ના અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. જયસુખભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. કિશોરભાઈ, હર્ષદભાઈ, ગુણવંતિબેન, પુષ્પાબેનના ભાભી. નિલેશ, ભાવેશ, સ્વ. નીતાબેનના માતુશ્રી. ગીતા તથા પૂજાના સાસુ. જીનલ, મિહિર, ભક્તિ, પાર્શ્ર્વ, કીર્તન તથા ખ્યાતિના દાદી. પિયરપક્ષે જામખંભાળિયા નિવાસી સ્વ. રણછોડદાસ પરમાનંદ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…