મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
કમળેજ નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી રંભાબેન વસંતભાઈ મહેતાના સુપુત્ર સુબોધભાઈ મહેતા (ઉં. વ. ૭૯) તા. ૧૧-૫-૨૪ને શનિવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. તરુલતાબેનના પતિ. કેયુર, કુણાલના પિતા. જલ્પા, મિલીના સસરા. કિશોરભાઈ, ભરતભાઈ અને સરોજબેનના ભાઈ. હરજીવનદાસ નથુભાઈ શાહના જમાઈ. શેત્રુંજય તીર્થની ભાવયાત્રા રાખેલ છે. તા. ૧૭-૫-૨૪ શુક્રવાર ૯.૩૦ થી ૧૨. સ્થળ: પરમકેશવબાગ, નવરોજી લેન, ઘાટકોપર (વેસ્ટ).

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
પડધરી નિવાસી હાલ મુંબઈ, સ્વ. સાકરચંદ જેચંદ પટેલના સુપુત્ર જયંતીલાલ (ઉં. વ. ૯૦) તે રેખા, શ્ર્વેતા અને રાજીવના પિતાશ્રી. તે અ.સૌ. કલ્પના, ચંદ્રેશકુમાર અને વિરાજકુમારના સસરા. તે મોરબી નિવાસી સ્વ. દોશી પ્રભુદાસ વીરપાળના જમાઈ. તે ઉત્સવના દાદા. તે કૃણાલ, હર્ષિલ, જુહી અને તન્વીના નાના. ૧૪-૫-૨૪, મંગળવારના મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર દિલીપભાઈ શાહ (ઉં. વ. ૮૦) તે સ્વ. પ્રેમવંતી જમનાદાસ શાહના જ્યેષ્ઠ પુત્ર. જ્યોતિબેનના પતિ. જીતેશના પિતા. દિપાલીના સસરા. સ્વ. હંસાબેન હસમુખલાલ દલ્લી, હેમેન્દ્રભાઈ, ભરતભાઈ, પરેશભાઈ, દતીસભાઈના મોટા ભાઈ. ગુલાબચંદ સવચંદ શાહના જમાઈ ૧૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી ગુર્જર જૈન
ગામ ભુજપુર હાલ વડાલા-મુંબઈ શ્રીમતિ માનવંતિબેન ફોફરીયા (ઉં. વ. ૭૭) બુધવાર, ૧૫-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પ્રવિણચંદ્ર જાદવજી ફોફરીયાના ધર્મપત્ની, કેસરબેન ભવાનજી સંઘવીના સુપુત્રી ગામ-મુન્દ્રા, રસિકભાઈ, હરિભાઈ, કાંતાબેન, શાંતાબેન, મુકતાબેન, હીરાબેનના બેન. વાસંતીબેન નવીનચંદ્ર ફોફરીયાના જેઠાણી. નિરંજનાબેન, પુષ્પાબેન, કમળાબેન અને ઈન્દુબેનના ભાભી. નિખિલ, વૈશાલી અતુલ શાહ, હિમાં નિરવ છેડાના માતુશ્રી અને સોનાલી નિખિલ ફોફરીયાના સાસુ. પ્રાર્થનાસભા ૧૬-૫-૨૪, માટુંગા ગુજર વાડી, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે.રે.) સમય ૩થી ૪.૩૦.

વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડિયાના સ્વ. તૃપ્તીબેન ગુણવંત ગાલા (ખીરાણી) (ઉં. વ. ૫૧) મુંબઈ મધ્યે ૧૩-૫-૨૪, સોમવારના અવસાન પામેલ છે. સ્વ. રમાબેન નાનજીના પુત્રવધૂ. ગુણવંતના ધર્મપત્ની. વરૂણ, સૌમીલના માતુશ્રી. રીચા, હર્ષીતાના સાસુ. માનુબેન હરખચંદ મેપશી છેડાની સુપુત્રી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૭-૫-૨૪ના ૧૦થી ૧૧.૩૦, પ્રાર્થનાસ્થળ. પ્યુપીલ્સ સ્કૂલ, એસ.વી. રોડ, ખાર(વે).

વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના સ્વ. શીવજી વણવીર ફરીયા (ઉં. વ. ૬૮) ૧૨-૫-૨૪, રવિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. શાંતાબેન વણવીરના સુપુત્ર. નવલબેનના પતિ. સચીન, સમીરના પિતાશ્રી. મિનાક્ષી, અંકિતાના સસરા. નેણશી, નવીન, મહેન્દ્ર, કસ્તુરના ભાઈ. સ્વ. કામલબેન લાલજી ભચુ ગડાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૬-૫-૨૪ના ૨.૩૦થી ૪. સ્થળ. સરદાર વલ્લભભાઈ પટેલ હોલ, એસ.વી. રોડ, જવાહરનગર, ગોરેગામ (વે).

વાગડ વિ.ઓ.જૈન
ગામ મનફરાના સ્વ. પોપટલાલ ભચુ વાલા ગડા (ઉં. વ. ૭૦) ૧૨-૫-૨૪ના રવિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. ગોમાબેન ભચુના સુપુત્ર. જીવતીબેનના પતિ. સ્વ. દિવાળી, સ્વ. લખમશીના ભાઈ. રંજન, નમ્રતા, ભારતી, તૃપ્તી, જયેશ, મુકેશના પિતાશ્રી. અશોક, દિનેશ, દિનેશ, વિપુલ, નિશા, ઉષાના સસરા. મનફરાના સ્વ. હિરજી ધનજી સત્રાના જમાઈ. પ્રાર્થના ગુરુવાર, ૧૬-૫-૨૪ના ૧૦થી ૧૧.૩૦. પ્રાર્થનાસ્થળ. શ્રી સરદાર પટેલ હોલ, એસ.વી. રોડ, ગોરેગામ-વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટા લાયજાના અ.સૌ. પ્રવિણા રતનશી ગડા (શાહ) (ઉં.વ. ૭૪) તા. ૧૨-૫-૨૪ના અવસાન પામેલ છે. દેવકાબેન ગાંગજીના પુત્રવધૂ. રતનશીના પત્ની. કેતન, રૂપલના માતુશ્રી. નવાવાસના પ્રેમકુંવર રતનશીના પુત્રી. સં.પ. અચલગચ્છાધિપતિ આ.ભ. કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મ.સા., ભરત, મંજુલા, હેમલતાના બેન. પ્રાર્થના: શ્રી લખમશી નપુ હોલ, માટુંગા (સે.રે.), મુંબઈ-૧૯. ટા.: સાંજે ૪ થી ૫.૩૦.

મોટા લાયજાના માતુશ્રી મણીબાઇ ઝવેરીલાલ લાલજી છેડાના સુપુત્રી ચંદનબાળા (ઉં.વ. ૭૫) તા. ૧૧-૫-૨૪ના અવસાન પામેલ છે. ગામ પરજાઉના હાલે નાશિક રાજેન્દ્ર નરશીના ધર્મપત્ની. રતનબાઇ નરશીના પુત્રવધૂ. વિપુલ, જસ્મીન, પ્રફુલ્લના માતા. પ્રાણલાલ, બેબીબેન લક્ષ્મણ, મધુરી પંકજ, શાંતા વસ્તીમલ, મંજુલા મુલચંદ, ટેકચંદ, દયાવંતી લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. વિપુલ નાગડા, ધ્રુમી એપાર્ટમેંટ, હીરાવાડી રોડ, નાશિક-૪૨૨૦૦૩.

ભોજાય હાલે ગુલબર્ગાના દેવકાબેન જીવરાજ ગાલા (ઉં.વ. ૮૦) તા. ૧૨/૫ના અવસાન પામ્યા છે. મેઘબાઈ મેઘજીના પુત્રવધૂ. જીવરાજના પત્ની. પંકજ, રાજેશ, દક્ષા, શીતલના માતુશ્રી. કોટડી (મ.) કંકુબેન મુરજીના પુત્રી. રમણીક, ભુપેન્દ્ર, ચંચળ, મંજુલા, જશોદાના બેન. પ્રાર્થના રાખેલ નથી.

દશા શ્રીમાળી બેતાલીસ જૈન
દેવેન્દ્રભાઈ ચંદુલાલ શાહ (ઉં.વ. ૭૬), ગામ પૂંજાપરા, હાલ ભાયંદર તે સ્વ. ચંદુલાલ લાલચંદ શાહના પુત્ર. સ્વ. નીરંજનાબેનના પતિ. જયના પિતાશ્રી. મીનીના સસરા. સ્વ. નવીનભાઈ, નરેન્દ્રભાઈ, અરવિંદભાઈ, હેમેન્દ્રભાઈ, ઇન્દુબેન, સરોજબેનના ભાઈ. બલોલવાળા સ્વ. કમલાબેન જયંતીલાલ શાહના જમાઈ તા. ૧૫-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે, પ્રાર્થનાસભા: તા. ૧૭-૫-૨૪ને શુક્રવારે ૪ થી ૬. સલાસર ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર, નગર ભવનની બાજુમાં, ફાટક રોડ, ભાયંદર પશ્ર્ચિમ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા