મરણ નોંધ

જૈન મરણ

ધ્રોળ (જામનગર) નિવાસી હાલ મલાડ ગં. સ્વ. અંજનાબેન જયંતીલાલ મહેતા (ઉં.વ. ૭૫) તે સ્વ. જયંતીલાલ હરિલાલ મહેતાના ધર્મપત્ની. અમીતા પંકજકુમાર દોશી, નિલેશના માતુશ્રી. સરગમના સાસુ. સ્વ. અનસુયાબેન શાંતિલાલ સોમાણી, યશુમતી વસંતલાલ મહેતા, રમીલા રજનીકાંત મહેતાના ભાભી. ઈશિકાના દાદી. પિયર પક્ષે સ્વ. નવનીતલાલ ચંદુલાલ મહેતાના પુત્રી તા. ૧૧-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના કાંતિલાલ મુલચંદ લાલન (ઉં. વ. ૬૯) તા. ૮.૪.૨૪ના અવસાન પામ્યા છે. વેલબાઇ મુલચંદ નરપત લાલનના સુપુત્ર. શૈલાના પતિ. વિધ્ધીના પિતાશ્રી. બિદડાના કુસુમ જયંત દેઢીયા, હાલાપરના શિલ્પા (દમયંતી) શાંતિલાલ મારૂના ભાઇ. નવાવાસ (દુર્ગાપુર)ના રસીકબેન ઠાકરશી મુરજી ગાલાના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. ઠે. કાંતિલાલ મુલચંદ લાલન, ગામ – કોડાય (કચ્છ), તા. માંડવી, પીન : ૩૭૦૪૬૦.
નંદાસર હાલે વાલકેશ્ર્વર મુંબઇના મહેન્દ્ર વિસરીયા (ઉં. વ. ૬૦) તા. ૧૦/૪/૨૪ના અવસાન પામેલ છે. ગં.સ્વ. રમાબેન ધનજીના પુત્ર. સુશીલાના પતિ. પ્રણય, ક્ધહયના પિતાશ્રી. મનોજ, રેખા, પુષ્પાના ભાઇ. નુ. ત્રંબૌના ગં. સ્વ. કંકુબેન વેરશી મોમાયા ગાલાના જમાઇ. પ્રાર્થના – શુક્રવાર તા. ૧૨-૪-૨૪ સવારે ૧૦.૩૦ થી ૧૨ વાગે યોગી સભાગૃહ, દાદર (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પ્રભુદાસ માણેકચંદ કોઠારી તથા સ્વ. ભાનુમતી પ્રભુદાસ કોઠારીના પુત્ર જીતેન્દ્રભાઈના ધર્મપત્ની અ. સૌ. જયશ્રીબેન (ઉં.વ. ૭૨) તા. ૧૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીપા પરાગ પારેખ, વૈશાખી હર્ષ ઔરંગાબાદવાળા, હેતલ ધવલભાઈ દોશીના માતુશ્રી. ઉષાબેન હસમુખલાલ, મધુ અનંતરાય, હર્ષાદા વીપીન, ભારતી પીયુષ, કુસુમ (પ્રીતી) અતુલ, ચેતન-વર્ષા, જસ્મીન – કલ્પના (રેખા)ના ભાભી. રાજકોટ નિવાસી સ્વ. ગોરધનદાસ અવીચલ કોઠારીની પુત્રીની પ્રાર્થનાસભા તા. ૧૩-૪-૨૪, શનિવારના ૧૦ થી ૧૨ પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ખાંભા નિવાસી હાલ વસઈ સ્વ. શાંતિલાલ કાંતિલાલ ઘેલાણીના ધર્મપત્ની ગં. સ્વ. જયાબેન શાંતિલાલ ઘેલાણી તા. ૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નવીનભાઈ, પ્રદીપભાઈ, જાગૃતિબેન ગીરીશભાઈ અંબાણીના માતુશ્રી. સ્વ. પ્રતીભા, રૂપાના સાસુ. હરજીવનદાસ મોતીચંદ દેસાઈની દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ નંદાસર, હાલે વાલકેશ્ર્વર મુંબઈ સ્વ. મહેન્દ્ર ધનજી દેવસી વિસરીયા (ઉં.વ. ૬૦) અવસાન પામેલ છે. તે સ્વ. સતીબેન/સ્વ. મોંઘીબેન દેવસી ગાંગજીના પૌત્ર. ગં. સ્વ. રમાબેન ધનજીના પુત્ર. સુશીલાના પતિ. પ્રણય, ક્ધહયના પિતાશ્રી. મનોજ, રેખા, પુષ્પાના ભાઈ. નૂં. ત્રબૌના ગં. સ્વ. કંકુબેન વેરશી મોમાયા ગાલાના જમાઈ. પ્રાર્થના શુક્રવાર, તા. ૧૨-૪-૨૪ના ૧૦.૩૦ થી ૧૨ યોગી સભાગૃહ, દાદર-ઈસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?