મરણ નોંધ

જૈન મરણ

અમૃતલાલ શાહ- બાબુભાઈ (કચ્છ ભુજ) હાલે ચેનૈ, (ઉં. વ. 97) તે ગં.સ્વ. માણેકબેન દેવરાજભાઈ નેણસી શાહના સુપુત્ર. ગં સ્વ.રંભાબેન રવિલાલ મકનજીના જમાઈ. સ્વ. ભાગ્યવતીબેનના પતિ. સ્વ.યોગેશભાઈ, મુકેશભાઈ, કેતનભાઇના પિતાશ્રી. ભાવનાબેન રીટાબેન તથા પ્રીતીબેનના સસરા. તન્વી, અભય, તનય, મલય, અક્ષય, અચીરાના દાદા તા. 17.03.2024ના ચેનૈ મધ્યે અરિહંતશરણ પામેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજા હાલે સોલાપુરના જયંતીલાલ સાવલા (ઉં. વ. 73) તા.16-3ના અવસાન પામેલ છે. કસ્તુર, હેમલતા ડુંગરશીના પુત્ર. નયનાના પતિ. શીતલ, પાયલ, કુણાલના પિતાજી. અરવિંદ, વાંકી સરલા મુલચંદ, બિદડા મંજુલા રમેશ, પત્રી ભાવના ભરતના ભાઈ. મોટી ખાખર રતન દામજી ટોકરશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિ. કુણાલ સાવલા, 8, વર્ધમાન એપા., 103, રેલવે લાઈન, સોલાપુર.
ડુમરાના માતુશ્રી ગુણવંતી ટોકરશી વેરશી ગોસર (ઉં. વ. 81) તા. 16-3-24 ના અવસાન પામેલ છે. રતનબાઇ વેરશીના પુત્રવધૂ. સ્વ. ટોકરશીના પત્ની. મીના, ભરત, કેતનના માતુશ્રી. મો. ઉનડોઠ ખેતબાઇ ધનજીના પુત્રી. ગોધરાના વેજબાઇ કલ્યાણજી, નિર્મળા પોપટ, કોટડી (મ.)ના નાનબાઇ હીરજી, ડુમરાના ઝવેર મેઘજી, ડોણના પ્રેમીલા વસંત, નવાવાસના લક્ષ્મી ચંદ્રકાંતના બેન. પ્રાર્થના : યોગી સભાગૃહ, દાદર (ઈ). ટા. 4 થી 5.30. (ચક્ષુદાન કરેલ છે.) નિ. કેતન ગોસર, સી/601, રેડવુડ, વસંત ગાર્ડન રોડ, મુલુંડ (વે), મું. 80.
રાયધણજરના પદમશી ખીમજી ગડા (ઉં. વ. 71) તા. 17-3-24ના અવસાન પામ્યા છે. વેજબાઈ ખીમજીના પુત્ર. વિજ્યાબેનના પતિ. મિનલ, હેતલ, સચિન, વિરેનના પિતા. સોનબાઈ, ધનબાઈ, વસંત, વિમલા, રંજન, લક્ષ્મીચંદ, પ્રવિણના ભાઈ. વિઢ કુંવરબાઈ લીલાધર આશારીયાના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.શ્વે.મૂ.જૈન સંઘ : નારાણજી શામજી વાડી, ટા. 4 થી 5.30. નિ. પદમશી ગડા : 404, અરવિંદ એપાર્ટમેન્ટ, એલ.ટી. રોડ, બોરીવલી (વે.), મું-92.
મોટા આસંબીયાના નાનબાઇ લાલજી ગાલા (ઉં. વ. 97) તા. 16-03-24ના અવસાન પામ્યા છે. મેઘબાઇ ઠાકરશીના પુત્રવધૂ. લાલજી ઠાકરશીના ધર્મપત્ની. મણીલાલ, મધુ (ભાવના), અશોકના માતુશ્રી. નાના આસંબીયાના વીરબાઇ કેશવજીના સુપુત્રી. જીવરાજ, શામજી, સુરજી, જેઠાલાલ, હરખચંદ, હંસરાજ, મણીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. અશોક લાલજી ગાલા, ત્રીજે માળે, રૂમ નં. 18, ગુસ્તીન બિલ્ડીંગ, એસ.વી. રોડ, ગોરેગામ (વે.), મું. 104.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. હિતેષ રાઘવજી રણમલ ગાલા (ઉં.વ. 48) રવિવાર, તા. 17-3-24ના મુંબઈ (બોરીવલી) મધ્યે અવસાન પામેલ છે. નામાબેન રણમલ હિરજી ગાલા (કચ્છા)ના પૌત્ર અને કોરઈબેન રાઘવજીના સુપુત્ર. મનસુખના ભાઈ. ભારતીના દિયર. સ્વ. નાથીબેન રણમલ ગાંગજી ગડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે: મનસુખ રાઘવજી ગાલા, હરિ ઓમ એપાર્ટમેન્ટ, બી-4, 301, વિજય સેલ્સની પાછળ, એસ.વી. રોડ, શાસ્ત્રી નગર, બોરીવલી (વેસ્ટ).
અમદાવાદ વીશા શ્રીમાળી જ્ઞાતિ જૈન
અમદાવાદ નિવાસી હાલ અંધેરી, મુંબઇ અ. સૌ. કુસુમબેન ભરતભાઇ શાહ (ઉં. વ. 82) તે મનીષ, રીતેશના માતુશ્રી. સેજલ, ઋષિનાનાં સાસુ. કેવિનના દાદી. સ્વ. ચંદુલાલ નાથાલાલ ભરૂચીના પુત્રી. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. જયેન્દ્રભાઇ, વિરેન્દ્ર અને સ્વ. ભારતભૂષણના તેમ જ માલતીબેનના બહેન. સ્વ. સુબોધભાઇ, સ્વ. હસમુખભાઇના ભાભી. તે 17મી માર્ચ 24 (રવિવાર)ના અરિહંતશરણ પામલે છે. લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: 1, અરારત ટાવર, જયભવાની રોડ, આંબોલી, અંધેરી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ મુલુંડ સ્વ. ધીરજલાલ રામચંદ શાહના સુપુત્ર જયેશભાઇ (ઉં. વ.59) જશ્મીનાબેનના પતિ. પ્રણય તથા ગ્રીષ્માના પિતા. નિધિ તથા પ્રણવકુમારના સસરા. સ્વ. જીતેશભાઇ, ભાવનાબેનના ભાઇ. શ્વસુર પક્ષે સ્વ.રમણીકભાઇ ચત્રભુજભાઇ અગીયાળીવાળા હાલ કાંદિવલીના જમાઇ તા. 17-3-24ના અરિહંતશરણ પામેલ છે. દરેક પક્ષની સાદડી તા. 19-3-24ના મંગળવારે 3થી 5. ઠે. એ-501,સાઇધામ લોયલા, નાહુર ગાંવ, મુલુંડ (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર હાલ મુલુંડ મુંબઇ સ્વ. ચીમનલાલ વનમાળીદાસ શેઠના ધર્મપત્ની કાન્તાબેન (ઉં. વ. 85) તે વિરેન, સંજય, રાજેનના માતુશ્રી. તે મનીષા, મીતા, કોમલના સાસુ. અવની-નંદન, પાર્શવ ધર્મિત, તનયના દાદી. પિયર પક્ષે ભાવનગર નિવાસી સ્વ. વૃજલાલ જીવનલાલ શાહની દીકરી. સ્વ. રમેશભાઇ, સ્વ. રસીલાબેન, સ્વ. હીરાબેનના બહેન તા. 16-3-24 શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ખંભાત વિશા શ્રીમાળી જૈન
ખંભાત નિવાસી હાલ ગોરેગાંવ જયાબેન વિનોદચંદ્ર ચોકસી (ઉં. વ. 82) તે મનીષ, આસીત, નીતાના માતુશ્રી. અર્પણા, સ્મીતા, રાજેશકુમારના સાસુ. તે જંબુભાઇ ફકીરચંદ ગાંધીના દીકરી. તે શ્રૈયસ, જય, હિમીત, સમકિત, કિંજલ, રીશીતના દાદી. સ્વ. પુષ્પાબેન, હંસાબેન, સ્વ.બિપીનભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. અશ્વીનભાઇ, દક્ષાબેનના ભાભી. તા. 17-3-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 19-3-24ના મંગળવાર 6થી 8. ઠે. રાજસ્થાન હોલ, ચિંતામણી દેરાસરની બાજુમાં, આરે. રોડ, ગોરેગાંવ (વેસ્ટ).
કાંઠા સતાવીસ વીસા શ્રીમાળી જ્ઞાતિ જૈન
આગલોડ નિવાસી હાલ મુલુંડ સ્વ. શાંતાબેન ચીમનલાલ શાહના સુપુત્ર કિરીટભાઇ શાહ (ઉં. વ. 70) બીનાબેનના પતિ. નીરવ અને બિનલના પિતા. શીતલ અને ચિરાગના સસરા. વિમળાબેન બાબુલાલ શાહના જમાઇ. સ્વ. નરેન્દ્રભાઇ, દીપકભાઇ તથા પ્રફૂલાબેન, સ્વ. પિનીકાબેન, સૂર્યાબેનના ભાઇ તા. 12-3-24ના શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વસંતબેન હરીલાલ શેઠના પુત્રવધૂ અ.સૌ. ચંદ્રિકાબેન (ઉં.વ. 70) તે હરેનભાઈના ધર્મપત્ની. ફાલ્ગુની અને અપૂર્વના માતુશ્રી. નિરવ રશ્મિકાંત દોશી તથા શાલિનીના સાસુજી. સાનવીના નાની. સ્વ. કલ્પનાબેન પ્રવીણચંદ્ર કપાસી, બિપિનભાઈ, જયશ્રીબેન જયંતભાઈ મહેતા અને હિતેશભાઈના ભાભી. મોરબી નિવાસી સ્વ. જસવંતીબેન ચંદુલાલ દફતરીના સુપુત્રી. શુક્રવાર, તા. 15-3-24ના અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 19-3-24ના 4થી 6 ઠે: લાયન્સ ક્મ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર
બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…