મરણ નોંધ

જૈન મરણ

જૈન મરણ

મુલુંડ કિરણકુમાર ભોગીલાલ શાહ તે સુરેખાબહેનના પતિ. પાનાચંદ લક્ષ્મીચંદના જમાઇ. નિપુનકુમાર તથા અમીબહેનના પિતા. સચિનભાઇ, વંદનાબહેનના સસરા. મહેન્દ્રભાઇ, ગુણવંતીબેન અને ભાવનાબેનના ભાઇ. ચિ. વિહાના અને પ્રણયના દાદા તથા નાના. તા. 22-9-23ના શ્રીઅરિહંતશરણ પામ્યા છે.
માંગરોળ જૈન
માંગરોળ હાલ ભાંડુપ મુંબઇ ગં. સ્વ. છાયાબેન (ઉં. વ. 65) તે સ્વ. મહેશભાઇ વિમલકાંત શાહના ધર્મપત્ની. ઉર્વી તથા અંકિતના માતુશ્રી. રૂષભ નિરંજનભાઇ શાહ તથા જીનલબેનના સાસુ. સ્માહીના દાદી. પોરબંદર નિવાસી હાલ ભાંડુપ સ્વ. પ્રવિણાબેન વ્રજલાલ મોહનલાલ શાહના સુપુત્રી. સ્વ. નિર્મલભાઇ, મનિષાબેન ચેતન શાહ તથા મેહુલભાઇના બેન તા. 22-9-23ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા હાલ મીરારોડ સ્વ. ગંગાદાસ ત્રિકમજી દોશીના ધર્મપત્ની. ગં. સ્વ. જયાબેન (ઉં. વ. 97) શુક્રવાર તા. 22-9-23ના અરિહંતશરણ પામેલ છે. તે નવનીત, રમેશ, દિલિપ, મુકેશના માતુશ્રી. સ્વ. રસીલા, રીના, જયશ્રી, સ્વ. કેતકીના સાસુ. તે મોટી કુંકાવાવ નિવાસી સ્વ. હરિલાલ મુળજી કામદારના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
અમલનેર (કરલી) નિવાસી હાલ માલેગાંવ મનસુખભાઈ રીખવચંદ શાહ (ઉં.વ. 79)નો તા. 22-9-23ના સ્વર્ગવાસ થયો છે. તે પુષ્પકુમારના ભાઈ. શ્રીપાલભાઈના પિતા. જ્યોતિબેનના પતિ. પૂર્ણિમાબેનના જેઠ. દર્શનાબેનના સસરા. સવિતાબેન, સરલાબેન, રાજમતીબેનના ભાઈ.
ઝાલાવાડી સ્થા. જૈન
લીમડી નિવાસી હાલ અંધેરી સ્વ. કાંતિલાલ પ્રભુદાસ શાહના પત્ની ઉષાબેન (ઉં.વ. 83) તે બોટાદ નિવાસી હિંમતલાલ મોહનલાલ શાહના પુત્રી. તે નિકિતા, કેતન, કાર્તિકના માતુશ્રી. શ્રીપાલ, ડિમ્પલના સાસુ. શારદાબેન ચીમનલાલ, સ્વ. મધુબેન ભુપતભાઈના ભાભી. તે સરોજબેન, શકુંતલાબેન, પ્રફુલાબેન, કલ્પનાબેન, કીર્તિદાબેન, સુરેશભાઈ, ભરતભાઈ, જિનેશભાઈના બેન ગુવાર, તા. 21-9-23ના અરિહંતશરણ પામ્યા છે. રહેઠાણ: કેતન કાંતિલાલ શાહ, 1/5 ઝાલાવાડ નગર, જુહુ લેન, અંધેરી (વે). લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ઉપલેટા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. પોપટલાલ જુઠાભાઈ વોરાના પુત્ર ચંદુલાલ (ઉં.વ. 84) તે 21/9/23ના અરિહંતશરણ પામેલ છે. તે લીલાવતીબેનના પતિ. ભાવના તથા અમિતના પિતાશ્રી. ભરત તથા દીપ્તિના સસરા. સ્વ. જેચંદ પરમાનંદ ઘોળકિયાના જમાઈ. સ્વ. જશવંતીબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. રંજનબેન, સ્વ. ભાયચંદભાઈ તથા ભાનુબેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી દેરાવાસી જૈન
ખંભાત નિવાસી હાલ બોરીવલી મોના નિલેશભાઈ હીરાલાલ કાટવાલાના પુત્રી ઈશા (ઉં.વ. 22) તે નિશીના બહેન. બેલાબેન ઇરીશભાઈ, સ્વ. ડિમ્પલ જયેશભાઇના ભત્રીજી. હર્ષિત, ચિરાગ તથા પૂજનની બહેન. ગં. સ્વ. સરલાબેન મહેન્દ્રભાઈ શાહના દોહિત્રી. 21/9/23ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાવણી (વિસાવદર) હાલ મીરા રોડ શ્રી મધુકાંત કાંતિલાલ ગાઠાણીના ધર્મપત્ની અ. સૌ. કોકિલાબેન (ઉં.વ. 65) તા. 19/9/23ના અરિહંતશરણ પામેલ છે. તે ધવલ તથા અ.સૌ. ચાંદની અમિતકુમાર ફીફાદરાના માતુશ્રી. સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયાબેન પ્રભુદાસ કોઠારીના દીકરી. સ્વ. જયંતીભાઈ, સ્વ. જયસુખભાઈ, વિનોદભાઈ, નગીનભાઈ, સ્વ. દિલીપભાઈ, ભાનુબેન, સ્વ. રંજનબેન, સ્વ. તબેન અને મીનાબેનના બેન તથા સ્વ. હર્ષાબેન વિનોદરાય ગાઠાણી, કિશોરભાઈ, જયશ્રીબેન નટવરલાલ શાહ, ભારતીબેન મહેન્દ્રભાઈ ગાંધી, હંસાબેન પંકજભાઈ બદાણીના ભાભી. સરનામું- સી-37, 204, ફેજ-3, શાંતીપાર્ક, મીરા રોડ ઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલે બોરીવલી યોગેન્દ્રભાઈ ભોગીલાલ જવેરી (ઉં.વ. 80), તા. 22-9-23ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. ઈંદિરાબેનના પતિ. ધનેશભાઈ, સોનલબેન, હેતલબેનના પિતા. પરેશ દેસાઈ, જયંત ભાવસારના સસરા. આયુષી, દીપ, જાનવીના નાના. સ્વ. ચંપાબેન મનસુખલાલ પંચમિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 703, રાખી એસ.એ. હા. સો. કાર્ટર રોડ નં-3, બોરીવલી-ઈસ્ટ.
ઝા. દ. દિગંબર (મુમુક્ષુ) જૈન
બરવાળા ઘેલાશા હાલ મુલુંડ સ્વ. કમળાબેન શાંતિલાલ જેઠાલાલ દોશીના સુપુત્ર લલિતચંદ્ર શાંતિલાલ દોશી (ઉં. વ. 76) તે વર્ષાબેનના પતિ તે થાનગઢ નિવાસી સ્વ. સુખલાલભાઈ ધારશીભાઈ શાહ (દોઢીવાળા)ના જમાઈ. સ્વ. જયંતિલાલ, સતીષભાઈ, કમલેશભાઈના ભાઈ. તે દિપેશ તથા હેમાલીના પિતા. તે પીનલ તથા વિશાલકુમારના સસરા. તે ક્રિષ્વી, વિધ્યમ, યષ્વીના દાદા-નાના તા. 22-09-23ના દેહ પરિવર્તન કરેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. જૈન
વઢવાણ હાલ થાણા અરવિંદભાઈ કાંતિલાલ મોદી (ઉં. વ. 79) તા. 22-9-23ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. તે તારક, રોનક, મૌલિકના પપ્પા. તે મીના, અલ્પા તથા સોનલના સસરા. તે નીતીનભાઈ, હર્ષદાબેન પ્રદીપભાઈ શાહ, કિરણબેન મહેન્દ્રભાઇ અજમેરા, સ્વ. મીતાબેન હસમુખભાઈ શેઠ તથા શીતલબેન શૈલેષભાઈ જોબાલીયાના ભાઈ. તે દિવ્યમ, સ્વયમ, પાર્થ, કોશા, ત્વીશા, નેશાના દાદા. પ્રાર્થનાસભા રવિવાર, તા. 24-9-23ના 11-12.30. એડે્રસ: ધ મેનસન, નીલકંઠ, વુડસ, ક્લબ હાઉસ, માનપાડા, થાણા (વેસ્ટ).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ઉપલેટા હાલ ઘાટકોપર, મુંબઈ સ્વ. પોપટલાલ જુઠાભાઈ વોરાના પુત્ર ચંદુલાલ (ઉં. વ. 84) તા. 21-9-23ના અરિહંતશરણ પામેલ છે. તે લીલાવંતીબેનના પતિ. તે ભાવના તથા અમીતના પિતા. તે ભરત તથા દિપ્તીના સસરા. તે જીનયના દાદા. સ્વ. જેચંદ પરમાનંદ ધોળકિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર (તેરવાડાવાળા) હાલ બોરીવલી સુરેશભાઈ ભણસાલી (ઉં. વ. 79) તે સ્વ. મણીબેન બાબુલાલ ભણસાલીના પુત્ર. તે વર્ષાબેનના પતિ. તે આશિષ, તુષારના પિતા. તે મોના-જીગ્નાના સસરા. તે સાધ્વીજી મ.સા. વિશ્વગુણાશ્રીજીના સાંસારિક ભાઈ. તે ધીરુભાઈ, દિનેશભાઈ, સુભદ્રાબેન, સ્વ. ઉષાબેનના ભાઈ. સાસરા પક્ષે પાટણ નિવાસી લહેરચંદ જગજીવનદાસ શાહના જમાઈ તા. 22-9-23ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…