મરણ નોંધ

જૈન મરણ

દશા શ્રીમાળી જૈન
મૂળ સરધારનાં (હાલ મુંબઇ) ગં. સ્વ. લીલાવંતીબહેન અનુપચંદ ગાંધી (ઉં. વ. ૯૦) તે સ્વ. કિરીટભાઇનાં માતુશ્રી અને સુરેખાબહેનના સાસુ. સુનિશ તથા અંકિતાના દાદી. ભાવિનીનાં દાદીસાસુ તા. ૩૧-મીએ અવસાન થયું છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખી છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા નિવાસી હાલ મુલુંડ સ્વ નંદનબેન જયંતીલાલ હીરાચંદ ગાંધીના સુપુત્ર રમેશભાઈ (ઉં. વ. ૮૦), તે સ્વ. સરલાબેનના પતિ. વિરલભાઈના પિતાશ્રી. મીનળબેનના સસરા. સ્વ. અશ્ર્વિનભાઈ, રીટાબેન, સ્વ ભારતીબેન, કિરણબેનના ભાઈ. તે સ્વ. ધીરજલાલ ખીમચંદ કપાસીના જમાઈ તા.૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ત્વચા દાન
કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
બિદડા (ઓતરો કંઢો)ના અ.સૌ. પદમા (પલ્લવી) હીરેન છેડા (ઉં. વ. ૪૫) તા. ૩૧-૧૨-૨૩ના અવસાન પામેલ છે. મા.મણીબેન પ્રેમજીના પુત્રવધૂ. હીરેનના પત્ની. વિરાજના મમ્મી. બીલીમોરાના મા. મંજુલાબેન કાન્તીલાલ પટેલની સુપુત્રી. જ્યોતી હીતેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીરેન પ્રેમજી છેડા, પી/૦૦૪, શીવમ એપાર્ટમેન્ટ, સેન્ટ્રલ પાર્ક, સેન્ટ્રલ પોઇન્ટ હોટલની બાજુમાં, નાલાસોપારા-ઇસ્ટ. ૪૦૧૨૦૯.
બિદડાના ભાવિની મારૂ (ઉં. વ. ૩૮)
૧-૧-૨૪ના અવસાન પામેલ છે. રાજેશના પત્ની. રંજનબેન કેશવજીના પુત્રવધૂ. ગં.સ્વ. ભાવના જેઠાલાલની પુત્રી. ધવલ, ગૌરવ, બિદડા અંજના આશિષ, સાધ્વી પૂન્યવન્તા મ.સા.ની બેન. પ્રા. વર્ધમાન સ્થાનક જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ બોરીવલી (વે.) ટા. ૩ થી ૪.૩૦.
કોડાય હાલે પૂનાના શ્રી હિતેન ગોગરી (ઉં. વ. ૬૮) તા.૧-૧-૨૪ ના અવસાન પામ્યા છે. કેસરબેન દેવચંદ કુંવરજીના પુત્ર. રચના (રંજન)ના જીવનસાથી. વિપર્ણા, રૂબીના પિતા. પ્રદીપ, તુષાર, મો.ખાખર કસ્તુરબેન ડુંગરશી, તલવાણા ચંપાબેન શાંતિલાલના ભાઈ. તલવાણા હીરાવંતી હીરજી (પોપટભાઈ) તેજશીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ: શ્રી હિતેન દેવચંદ ગોગરી, કે-૨, કલ્યાણ સોસાયટી, હોટેલ ૭ લવ્સની સામે, ઓશવાલ બંધુ કાર્યાલયની બાજુમાં, મહાત્મા ફુલે પેઠ, પૂના – ૪૧૧૦૪૨.
સમાઘોઘાના ભાનુબેન રતિલાલ દેઢીયા (ઉં. વ. ૭૭) તા. ૧-૧-૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. મઠાબેન ગણશી દનાના પુત્રવધૂ. રતીલાલના પત્ની. લાયજાના ભાવના હિતેન વોરા, કપાયાના પ્રીતિ હિતેશ મામણીયાના માતુશ્રી. મોખાના ભચીબાઈ (પૂરબાઈ) મુરજી નાગશી વિસરીયાના સુપુત્રી. ભવાનજી, વીરચંદ, વડાલાના અમૃતબેન પોપટલાલ, ગુંદાલાના રતનબેન રવજી, વડાલાના ચંચળબેન બાબુલાલ, દેશલપરના રૂક્ષ્મણીબેન કલ્યાણજી, પ્રતાપરના નિર્મળાબેન માવજી, રાયણના મંજુલાબેન દેવચંદ, બિદડાના રેવંતીબેન હીરજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું: પ્રીતી હીતેશ મામણીયા, બી-૧૦૭, ગજાનન હાઈટ્સ, સંગીતાવાડી ડોમ્બીવલી (ઈસ્ટ) ૪૨૧૨૦૧.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સિતાપુર (ઢસા) હાલ વસઇ જયંતીલાલ અમૃતલાલ કપાસી (ઉં. વ. ૭૫) તા. ૩૧-૧૨-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે અનસુયાબેનના પતિ. પ્રજ્ઞેશ, યતિન, કામીનીના પિતાશ્રી. દેવલ, હેતલ, મનીષકુમાર ઇશ્ર્વરલાલ શાહના સસરા. દિનેશભાઇ, જીતુભાઇ, બીપીનભાઇ, મનીષભાઇ, ભારતીબેન દિનેશકુમાર સંઘરાજકા, સુધાબેન જીતેન્દ્રકુમાર મોટાણી, મીતાબેન પરેશકુમાર ગોસલીયાના મોટાભાઇ. સ્વ. નાનાલાલ પોપટલાલ કામદારના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૧-૨૪ના ગુરુવારે ૧૦થી ૧૨. ઠે. રાજહંસ બેન્કવેટ પાર્ટી લોન, બીશોય હાઉસની બાજુમાં, બરામપુર, ટીબીઝેડની બાજુની ગલીમાં, વસઇ રોડ, (વેસ્ટ).
ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મૂ. પૂ. જૈન
ધ્રાંગધ્રાના હાલ દહીંસર કીર્તિકુમાર અમૃતલાલ શાહના ધર્મપત્ની જાગૃતિબેન (જાગુ) (ઉં. વ. ૫૯) તે રુચિના મમ્મી. તે સ્વ. વિજયભાઈ- મહેન્દ્રભાઈ- દીપિકાબેન- ધર્મિષ્ઠાબેનના ભાભી. તે મૃદુલાબેનના દેરાણી. તે રુષભ- બીરેનના કાકી. તે પિયરપક્ષે સ્વ. હસુમતીબેન હસમુખભાઈ શાહની મોટી દીકરી. તે પંન્યાસ અજીતયશ વિ. મ. સાહેબ- સંયમયશ વિ. મ. સાહેબ (સંસારી બહેન) તથા મીતા રાજેશકુમાર શાહના બહેન સોમવાર, ૧-૧-૨૪ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. કીર્તિકુમાર અમૃતલાલ શાહ, ૩૦૨ જમુના બિલ્ડીંગ, નવયુગ લેન, એસ. વી. રોડ, દહીંસર (ઈ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વડિયા નિવાસી હાલ પંતનગર, ઘાટકોપર મુકામે સ્વ. ખીમચંદ અમરચંદ પંચમીઆના ધર્મપત્ની. તે કાલસારી નિવાસી સ્વ. સવચંદ પાનાચંદ ટિંબડિયાની દીકરી. શારદાબેન (ઉં. વ. ૮૫) નું મંગળવાર તા. ૨-૧-૨૪ના અવસાન થયું છે. તે સ્વ. ધીરજલાલ, સ્વ. હિંમતલાલ, મનસુખલાલ, સ્વ. ગુણવંતભાઇ તથા સ્વ. પુષ્પાબેન હિંમતલાલ મોદીના ભાભી. સ્વ. શૈલેષ, મનોજ, બિમલ, સંદીપ, સંજય અને વિજયના ભાભુ. પ્રાર્થનાસભા: ગુરુવાર તા. ૪-૧-૨૪ના સવારે ૯-૩૦ વાગ્યાથી ૧૧.૩૦ વાગે, ઘાટકોપર (પૂર્વમાં) લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયાનગરમાં.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી, હાલ ગોરેગાંવ સ્વ. જયાબેન તથા બાબુભાઈ મહેતાના પુત્ર નિરેશ (ઉં. વ. ૬૩) તે જયશ્રીબેનના પતિ. ડૉ. દેવલ તથા અલીશા જૈમિનના પિતા. વિરેશ, સ્વ. યોગેશ, ઉષા, આશા, નિશાના ભાઈ. ભરત મહેતા, પંકજ દોમડીયા, રાજેશ મહેતાના સાળા. અનુજભાઈ, નીતાબેનના વેવાઈ ૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી હાલ કાંદિવલી સ્વ. શાંતિલાલ મોતીચંદ કોઠારીના ધર્મપત્ની શારદાબેન કોઠારી ૩૧-૧૨-૨૩ના સંથારો સીજી ગયેલ છે. ચિ. સમીરભાઈ, અ. સૌ. પ્રીતીબેન સનતભાઈ, અ. સૌ. નીષાબેન રજનીકાંત, અ. સૌ. જાગૃતિબેન વિમલભાઈના માતુશ્રી. અ. સૌ. મમતાબેનના સાસુ. સ્વ. છોટાલાલ મોતીચંદ કોઠારીના નાનાભાઈના ધર્મપત્ની. સ્વ. સૂર્યકાંત મોતીચંદ કોઠારીના ભાભી. સ્વ. મંઠાબેન પરશોત્તમદાસ મડિયા, સ્વ. વિલાસબેન ભુપેન્દ્રભાઈના ભાભી. ખાંભા નિવાસી સ્વ. વરદરાજ વલભજી દોશીની દીકરી ગુણાનુવાદ સભા ૪-૧-૨૪, ગુરુવારના ૩-૩૦ થી ૫-૩૦. ઠે: કાંદિવલી સ્થાનકવાસી જૈન (મોટો) ઉપાશ્રય, એસ. વી. રોડ, શંકરના મંદિરની સામે, કાંદિવલી (વે.).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો