મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
મોરબી વતની હાલ સાંતાક્રુઝ બકુલેશભાઇ (ઉં. વ. ૬૬) તે સ્વ. મોતીબેન તથા સ્વ. ચુનિલાલ કાથરાણીના પુત્ર. તે કલ્પનાબેનના પતિ. તે સ્વ. ચંદુલાલ શાંતિલાલ લાખાણીના જમાઇ. તે ફોરમ નીરવ શાહના પિતા. તે જેષ્ઠારમ, સ્વ. મનહરભાઇ, જયંતભાઇ, હંસાબેન કાથરાણી, સ્વ. નિર્મળાબેન દેવીદાસ મોદીના ભાઇ. સોમવાર, તા. ૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
બુધેલ નિવાસી ગં. સ્વ. નિર્મળાબેન વનરાવન શાહ (જુંજાણી)ના પુત્ર. પરેશભાઇ (ઉં. વ. ૫૬) તા. ૬-૧૦-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. અંજનાના પતિ. માનસી તથા જશના પિતાશ્રી. જયોતિબેન, પ્રમોદીબેન, સ્વ. નયનાબેન, સ્વ. હીનાબેન, પૂર્ણિમાબેન, તથા સ્વ. મીનાબેનના ભાઇ. શ્ર્વસુર પક્ષે સ્વ. મંજુલાબેન વૃજલાલ હેમાણીના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

Related Articles

હાલાઇ બ્રહ્મક્ષત્રિય
મૂળ લીંબડી હાલ મુંબઇ ચંદ્રકાંત ખત્રી (ખુડખુડિયા) (ઉ. વ. ૭૬) તે શિલ્પા ખત્રીના પતિ. પુનિત અને માનસીના પિતાશ્રી. પ્રીતેશ મોતાના સસરા. મોક્ષના નાના. તા. ૫ ઓકટોબરના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૦ ઓક્ટોબર ૨૪ના ૪થી ૬. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, પાર્લા (વેસ્ટ).

જામનગર મોઢ વણિક
ગં. સ્વ. કુસુમબેન (ઉં. વ. ૧૦૦) તે સ્વ. કરસનદાસ જયંતિલાલ શેઠના ધર્મપત્ની સ્વ. પાનાચંદ પ્રાગજી મહેતાના દીકરી. સ્વ. ડો. પ્રવીણા ધીરેન શાહ, સ્વ. પ્રફુલ્લા જીતેન્દ્ર મહેતા, ગં. સ્વ. ભારતી બાલકૃષ્ણ પટેલના માતુશ્રી. તા. ૭-૧૦-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી લોહાણા
ભાવનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. રમાબેન હરિલાલ બુદ્ધદેવ (ઠક્કર)ના પુત્ર દીપકભાઈ (ઉં.વ. ૬૬) તા. ૭/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. હેતલબેન નિખિલકુમાર મોરઝરીયા, મેઘાબેન ક્ધિનરકુમાર શીંગાળા તથા સાગરના પિતા. નરેશભાઈ, પરેશભાઈ, પિયુષભાઇના મોટાભાઈ. કાંતિલાલ કેશવલાલ સુરૈયા અમરાપુરવાળાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૦/૧૦/૨૪ના ૪ થી ૬. હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ.

ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક
લાકડીયા નિવાસી હાલ દહાણુ રોડ સ્વ. કુસુમબેન હિંમતલાલ શાહના પુત્રવધૂ. સ્વ. પ્રવીણભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. યામિનીબેન (ઉં.વ. ૬૫) તા. ૫/૧૦/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે અંકિતના માતુશ્રી. યશાના સાસુ. સાનવીના દાદી. સ્વ. કુંદનબેન પ્રાણજીવનદાસ મોદીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
ગામ કચ્છ મોટી વમોટી હાલે ડોમ્બીવલી સ્વ. ઝવેરબેન વલ્લભજી ચંદનના વચેટ પુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૬૪) તે જોસનાબેનના પતિ. તા. ૮-૧૦-૨૪ મંગળવારના અક્ષર નિવાસ પામેલ છે. કચ્છ ગામ મુરુ સ્વર્ગીય ભચીબાઈ કોરજી આઇયાના જમાઈ. સ્વ. કિશોરભાઈ, માધવજીભાઈ, મોહનભાઈ, મહેશભાઈ, ગં.સ્વ. નર્મદાબેન ખીમજી, ગં.સ્વ. જયશ્રીબેન હરીશભાઈ, રસીલા પ્રવીણ, લતા દિપકના ભાઈ. સૌભાગ્ય, ચિતલ, હર્ષિત જોઈસર, ચાંદની દીક્ષિત અનમ દયાપર, સાગરના પિતાશ્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૯/૧૦/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. સ્વામિનારાયણ મંદિર હૉલ, બીજે માળે, રાજાજી પથ રોડ, ડોમ્બીવલી ઇસ્ટ.

જામનગર ગિરીનારાયણ બ્રાહ્મણ
પુષ્પા પ્રમોદ ભટ્ટ (ઉં.વ. ૮૦) સ્વ. પદ્માબેન ગિરિજાશંકર જેઠાલાલ જાનીની પુત્રી. સ્વ. વસંત જાની, સ્વ. હંસા યોગેશ ભટ્ટની બહેન. દેવાંશી ભટ્ટ મહાજન, ગૌરાંગ, પારૂલનાં માતુશ્રી. દિનેશ મહાજન, કૃપા અને હિમાંશુ પંડ્યાનાં સાસુ. દેહુતિ નિમિષ પુરોહિત અને દ્વિજા પંડ્યાનાં નાનીમા. સંકીર્તન અને કેયાનાં દાદીમા, તા. ૭ ઓક્ટોબર ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા મેવાડા વૈષ્ણવ
મહેમદાવાદ નિવાસી સ્વ. વિમલાબેન રસિકલાલ પરીખની દિકરી ગં.સ્વ. ભારતીબેન પર્સી ઘીસ્તા, તા. ૭/૧૦/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પર્સી ઘીસ્તાના પત્ની. ખુશરુ, શેરમીનના મમ્મી. ઝરણા, પ્રશાંતકુમારના સાસુ. પરસીસના દાદી. દિવાના નાની. પ્રાર્થનાસભા ૧૦/૧૦/૨૪ના ૫-૮, વનિતા વિશ્રામ, ૩૯૨, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪.

મોધવાનિક વૈષ્ણવ
જામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જયસુખલાલ ચુનીલાલ ભગતના પુત્ર અતુલ ભગત (ઉં.વ. ૬૮) તા. ૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રાધિકાબેનના પતિ. સ્વર્ગીય નીરુબેન અને લીનાબેનના ભાઈ. વરુણના પિતા. સિદ્ધિના સસરા. શ્ર્લોક, આઈશા, વેદના દાદા અને મનસુખલાલ મોહનલાલ ઠક્કરના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી. ૫ વાલ્મીકિ, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર – પૂર્વ, ચક્ષુદાન કારેલ છે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker