મરણ નોંધ

હિન્દુ મરણ

તરલિકા શાસ્ત્રી (વતન-હળવદ) તે સ્વ. નરેન્દ્ર મોહનલાલ શાસ્ત્રીના ધર્મપત્ની તથા સોનલ, શીતલ અને ધવલના માતુશ્રી તા. ૨૭-૯-૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ
લુહારગોર સ્વ. રતિલાલ જીવરામ ત્રિવેદી (મૂળ અમરેલી, હાલ મુંબઇ)ના પુત્ર. હરેશભાઇ ત્રિવેદીના ધર્મપત્ની અ. સૌ. દિપ્તીબેન ત્રિવેદી (ઉં. વ. ૪૧), તે યશ, પ્રથમનાં માતુશ્રી. કાંતિલાલ ગણેશભાઇ પિત્રોડા અને જયશ્રીબેનની દિકરી. અજયભાઇ, કમલેશભાઇ, મીલીબેન, પૂનમબેન તથા ખ્યાતીબેનના બેન. અ. સૌ. રમાબેન મહેન્દ્રભાઇ ત્રિવેદીનાં દેરાણી તા. ૨૬-૯-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૯-૨૪ના સોમવારે ૫થી ૭. ઠે. કૃષ્ણબાગ, બીજો પારસી વાડો, વી. પી. રોડ, મુંબઇ-૪૦૦૦૦૪.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
રાજુલા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. કાંતિલાલ ભટ્ટ (ઉં. વ. ૯૦) ૨૬-૯-૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે હંસાબેનના પતિ. સ્વ. શિવકુંવરબેન પ્રાણશંકર ભટ્ટના પુત્ર. સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ ઓઝાના જમાઈ. સ્વ. રાજેશભાઈ ભટ્ટ, પરેશ ભટ્ટ, જયશ્રી રાજેન્દ્ર મહેતા, દક્ષા દિનેશ દેસાઈના પિતાશ્રી. શોભના રાજેશ ભટ્ટ અને દર્શના પરેશ ભટ્ટના સસરા. પ્રાર્થનાસભા ૨૯-૯-૨૪ને રવિવારે ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોશી લેન, ઘાટકોપર ઈસ્ટ, ૫ થી ૭.

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મોટા લીલીયા નિવાસી, હાલ વસઈ રોડ સ્વ. રમેશભાઈ વ્રજલાલ વોરા (ઉં. વ. ૭૫) ૨૭-૯-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે વર્ષાબેનના પતિ. સ્વ. દિલીપભાઈ, જસુબેન મહેન્દ્રભાઈ શાહના ભાઈ. જતીન, શૈલેષના પિતાશ્રી. જયસુખભાઈ દેવકરણ લાધાણીના જમાઈ. નિશા, તૃષાના સસરા. પ્રાર્થનાસભા રવિવાર, ૨૯-૯-૨૪ ૪ થી ૬. કે.ટી. વાડી, ૧લે માળે, હોલી પેરેડાઈઝ સ્કુલની બાજુમાં, કે.ટી. વિલેજ, વસઈ (વેસ્ટ).

કચ્છ કડવા પાટીદાર
સ્વ. રમેશ ગોપાલ રાજાણી (ઉં. વ. ૭૭) હાલ નવી મુંબઇ (કોપરખેરણે) તથા કચ્છ ગામ નખત્રાણા નિવાસી તા. ૨૮-૯-૨૪ના અવસાન પામેલ છે. તે મંજુલાબેનના પતિ. તે સ્વ. મેઘજી જેઠાના જમાઇ. તથા જીજ્ઞા, નિતા, રાજેશના પિતા તથા નરસીભાઇ તેમ જ સવિતાબેનના ભાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩૦-૯-૨૪ના દિવસે. ઠે.કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, લેવીનો કમ્પાઉન્ડ, કેસલ મિલ પાસે, થાણે પશ્ર્ચિમ.

પુષ્કર્ણા બ્રાહ્મણ
કલ્પેશ બોડા (ઉ.વ.૫૧) રવિવાર ૨૨.૦૯.૨૪નાં ડોમ્બિવલી કૈલાશવાસ થયેલ છે. તે સ્વ.મંજુલા રામચંદ્ર બોડાનાં દીકરા. સવિતાના પતિ. રિષભ અને રુદ્રાક્ષીના પપ્પા. સ્મિતા ધર્મેન્દ્ર જોષી, સ્વ.આશુતોષના ભાઈ. હરૂભાઈ પુરુષોત્તમ બોડાના ભત્રીજા. રાજુભાઈ, સુનિતા, સ્વ.કિરીટભાઈ, મમતા અને પિયુષના ભાઈ. પ્રાર્થનાસભા તા.૨૯.૦૯.૨૦૨૪ને રવિવાર ૩.૩૦ થી ૫. સ્થળ:-૫૦૧,પ્રથમ ટાવર, ક્વિન્સ પાર્ક, મસ્જિદ પાસે, મીરા રોડ ઈસ્ટ.

હાલાઈ લોહાણા
મુળ ગામ જામખંભાળિયા હાલ કાંદીવલી ગં.સ્વ.હેમલતાબેન (ઉ.વ.૭૬) શુક્રવાર ૨૭/૦૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.ચંદ્રકાંત કેશવજી રૂપારેલિયાનાં ધર્મપત્ની. નિલેશ, રાજીવ, દિવ્યેશનાં માતૃશ્રી. ભાનુબેન ગોકલદાસ ગંઠીયાનાં સુપુત્રી. રિટા, કોમલ, રૂપાના સાસુમા. વેદાંત, યશ, પ્રિયાંકનાં દાદીમા. પ્રાર્થનાસભા સોમવાર તા.૩૦/૦૯/૨૪ના ૫ થી ૭. હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલા માળે, એસ.વી.રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી વેસ્ટ. લૌકીક વ્યવહાર બંધ છે.

લોહાણા
મુળગામ ગોંડલ હાલ સાંગલીના સ્વ.લલિતભાઈ સંગ્રામ (ઉ.વ.૫૯) શનિવાર ૨૮.૦૯.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેન મનસુખલાલ સંગ્રામના પુત્ર. રૂપાબેનના પતિ. સૌ.મેઘના તથા શ્રેયા તથા કુંજેશના પિતાશ્રી. વિવેકકુમાર પ્રવિણભાઇ મજેઠીયાના સસરા. સૌ.સુધાબેન, સ્વ.સરોજબેન, સૌ.વર્ષાબેન, સૌ.જ્યોતિબેનના ભાઈ. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી રવિવાર ૨૯.૦૯.૨૪ના ૫.૩૦ થી ૬.૩૦. એસ.એન.ડી.ટી. કોલેજ, સાંગલીમાં.

દશા સોરઠીયા વણિક
કુંકાવાવ નિવાસી હાલ બોરીવલી સ્વ.આશાબેન અને બાલકૃષ્ણભાઈ લક્ષ્મીદાસ કોઠારીના પુત્ર ચંદ્રશેખરભાઈ કોઠારી (ઉ.વ.૭૫) ૨૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે શીતલબેનના પતિ, અભિષેક તથા શ્ર્વેતા ચિરાગ મનકોડીના પિતા. સલોનીના સસરા. યશના દાદા. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૩૦/૯/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

નાઘેર દશા શ્રીમાળી વણિક
ઘાંટવડ નિવાસી હાલ વસઈ હર્ષદભાઈ અમીચંદ કુંભાણી (ઉ.વ.૭૦) તે બીનાબેનના પતિ, દિગેશ તથા બિંદેશના પિતા. હેતલના સસરા. ભુપેન્દ્રભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ, કંચનબેન શશીકાંત બખાઈ, સ્વ.કુમુદબેન પ્રવિણચંદ્ર શાહ, હંસાબેન રસિકલાલ દોશી, રંજનબેન વિનયચંદ્ર શાહના ભાઈ. સ્વ.ગીરધરલાલ વીરચંદ શાહના જમાઈ.૨૫/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સુરતી દશા શ્રીમાળી વૈષ્ણવ
હાંસોટ નિવાસી હાલ બોરીવલી શિરીષચંદ્ર મજમુદાર (ઉ.વ.૮૨) ૨૫/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.જસવિદ્યાબેન હરિલાલ મોતીલાલ મજમુદારના પુત્ર. અનુરાધાબેનના પતિ. સ્વ.વિધુલત્તાબેન તથા સ્વ.રજનીકાંત ઘેલાભાઈ શેઠના જમાઈ. તેજસ તથા સોનાલિના પિતા. ધૃતિ તથા ચિરાગના સસરા. સાદડી પ્રથા બંધ છે.

બાલાસિનોર દશા નીમા વણિક
હાલ કાંદિવલી નિવાસી ભાનુબેન (ઉ.વ.૮૪) મહેન્દ્રભાઈ મણિલાલ ગાંધીના ધર્મપત્ની. સ્વ.શાંતાબેન કાનજીભાઈ પારેખના દીકરી. અર્ચના તથા હિમાંશુંના માતુશ્રી. પ્રિયંકાના સાસુ. સ્વ.દિનેશભાઇ, સ્વ. હિંમતભાઈ, મીનાબેનના બહેન. ૨૭/૯/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

તપોધન બ્રાહ્મણ
મૂળગામ કલગામવાળા હાલ બીલીમોરા ગં.સ્વ.નયનાબેન તથા સ્વ.ગજાનન હરગોવિંદ મહેતાના સુપુત્ર કૌશિકભાઈ મહેતા (ઉ.વ.૬૨) ૨૪/૯/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સરોજબેનના પતિ. શ્રેયા તથા કૃતિકાના પિતા. હિતેન્દ્રભાઇ, પરેશભાઈ, જાગૃતિ અતુલ દવે, ભાવના વિપુલ દેસાઈ, ભારતી રમેશચંદ્ર રાવલ, હંસાબેન રમેશચંદ્ર વૈદ્યના ભાઈ. સાસરાપક્ષે સ્વ.કમળાબેન તથા સ્વ.ધીરૂભાઈ ગોપાલજી રાવલ બીલીમોરાના જમાઈ. પ્રાર્થનાસભા ૩૦/૯/૨૪ના ૩ થી ૫. તપોવન હોલ, દેસરા, રાવલ સ્ટ્રીટ, બીલીમોરા ઈસ્ટ.

હાલાઇ લોહાણા
જામખંભાળિયા નિવાસી હાલ કાંદિવલી સ્વ.રમેશચંદ્ર વલ્લભદાસ લાલના ધર્મપત્ની ગં.સ્વ.મંજુલાબેન (ઉ.વ.૭૫) ૨૮/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મિતેષ, વિશાખા રસીકકુમાર પટેલ, રાજેશ્રી કિશોરકુમાર પંચમતીયા, જાગૃતિ અજયકુમાર સોનપાલના માતુશ્રી. હિનાના સાસુ. અનિલભાઈ તથા સુધાબેન પ્રભુદાસ મોટાણીના ભાભી. સ્વ.જમનાબેન ગોપાલદાસ વિઠલાણી દ્વારકાના દીકરી. પ્રાર્થનાસભા ૩૦/૯/૨૪ના ૯ થી ૧૧. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ વી રોડ કાંદિવલી વેસ્ટ.

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મૂળગામ ચિતલ હાલ મીરારોડ ગં.સ્વ નિર્મલાબેન (ઉ.વ.૭૪) સ્વ.હરગોવિંદદાસ વિઠ્ઠલજી જોગીના ધર્મપત્ની. સ્વ.મોહનલાલ ભવાનજી પડિયા જેતપુરની દીકરી. ધર્મેન્દ્ર, સંજય, વિપુલ, વિભાબેન શૈલેષભાઇ જાજલ, સેફાલી રજનીકુમાર મેરના માતુશ્રી. રેખા તથા શિલ્પાના સાસુ. સ્વ.મુકેશભાઈ, રમેશભાઈ, વસંતભાઈ, ઉર્મિલાબેન નિર્મલ, સ્વ.દક્ષાબેન પડિયા, ચંદ્રિકાબેન ખખ્ખર, કીર્તિબેન છાટબાર તથા વર્ષાબેન બોસમીયાના ભાભી. ૨૬/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઘાંઘળી નિવાસી હાલ મલાડ ગં.સ્વ.સવિત્રિબેન પંડ્યા (ઉં.વ.૭૭) શનિવાર તા.૨૮/૦૯/૨૪ના કૈલાસવાસી થયેલ છે, તે સ્વ. લાભશંકર ઇચ્છાશંકર પંડ્યાના ધર્મપત્ની. ઉમિયાશંકર રાવલના દીકરી. રમેશભાઈ રાવલ તથા ગાયત્રીબેન ભટ્ટ, રાકેશ, કલ્પેશ,રાજુબેન, સ્વ.બીનાબેન, પ્રજ્ઞાબેનના માતુશ્રી. સ્વ.કમલકુમાર ભાર્ગવ, યોગેશકુમાર ઉપાધ્યાય, મહેન્દ્રકુમાર જોશી તથા જાગૃતિના સાસુ. પ્રાર્થનાસભા ૩૦/૯/૨૪ના ૪ થી ૬ ચંદ્રમોલેશ્વર મંદિર, ધનજીવડી નીલ્યોગ ટાવર સામે ખોત કૂવા રોડ મલાડ ઈસ્ટ.

હાલાઈ ભાટિયા (ચપ્પરવાલા)
અ.સૌ.સ્મિતા સતીશ આશર (ઉ.વ.૬૭) ગુલાબબેન ગોરધનદાસ આશરના વહુ. તે સતિષભાઈ આશરના ધર્મપત્ની. ચી.અંકિતના માતૃશ્રી. માધવદાસ હીરજી વેદ (શિવજીયાની)ના પુત્રી. સ્વ.બિપીનભાઈ, વિજયભાઈ, અ.સૌ.મીનાક્ષીબેન વિનોદભાઈ ભાટિયા તથા ગં.સ્વ.કુસુમબેન પંકજભાઈ આશરના બેન. ૨૭-૯-૨૪ના નાલાસોપારા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
ગામ રાજુલા હાલ વિલેપાર્લે ભાનૂમતિબેન (ઉ.વ.૯૨) સ્વ.જયસુખલાલ નાગરદાસ ભુતાના પત્ની. ગુરૂવાર ૨૬/૯/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રૂપા જનકભાઈ ઢબ્બુવાલા, રીટા સુકેતુભાઈ દેસાઇ, મનીષા શિરીશભાઈ ભટનાગર અને કમલેશભાઈના માતા. દેવાંગીબેનના સાસુજી. શુભેન્દુ અને વૃષ્ણીના દાદી. તેજશ્રીના દાદીસાસુ, દેલવાડાવાળા સ્વ.રણછોડલાલ શ્રીરામદાસ સંઘવીના પુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર તા.૧/૧૦/૨૪ના ૫ થી ૭. વિશ્ર્વકર્મા હોલ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ.

મેઘવાળ
ગામ પાલીતાણા હાલ નવી મુંબઈ કામોઠે. સ્વ.કાંતાબેન મારૂ તે સ્વ. બેચરભાઈ દયાળજી મારૂના ધર્મપત્ની નરેશ, રાજેશ, વસંત, ભારતીના માતા. મધુ, અંજુ, રૂપા, નિકીતા, નરેશભાઇ ભોજના સાસુ. શૈલેષ, હિરેન, હર્ષ, પ્રિયંકા, ક્રિશિકા, સાચીના દાદી. લક્ષ, હેમાંશુના નાની. કેશવભાઈ બાવાભાઈ ગોહિલના દીકરી. તેમના બારમાની વિધિ સોમવાર ૩૦/૦૯/૨૪ના ૪.૦૦. કરાડી સમાજ હોલ સેક્ટર ૧૪ કામોઠે ગાંવ નવી મુંબઈ, રેલ્વે સ્ટેશન ખાંડેશ્વર.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ