મરણ નોંધ

હિન્દુ મરણ

સુધીરભાઈ કોટક (ઉંં. વર્ષ. ૮૧) તે સ્વ. અમૃતલાલ તથા સ્વ. લીલાવતીબેન કોટકના સુપુત્ર, તેઓ સ્વ. ઊર્મિબેનના પતિ. પ્રીતિ તથા મયૂરના પિતાશ્રી. તેઓ શ્રી સુરેશભાઈ કોટક, સ્વ. તરુણાબેન પ્રભુદાસ કોટેચા, ઉષાબેન અરવિંદભાઈ માવાણીના ભાઈ, ઇંદિરાબેન કોટકના દિયર તારીખ ૦૪/૦૯/૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ ૬/૯/૨૪ના રોજ સાંજે ૫.૩૦ થી ૭. ઠે. હોલ ઑફ હાર્મની, નહેરુ સેન્ટર, વર્લી, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

કોળી પટેલ
ગામ ખરસાડ હરિ ફળિયું હાલ ફોર્ટના જયંતીલાલ કિકાભાઈ પટેલ (ઉં. વ. ૮૬) તે ભાનુબેનના પતિ. બચુભાઈ, નરેશભાઈના ભાઈ. રેવાબેનના દિયર. નયનાબેનના જેઠ. મીના, નિશાંત, અમિત, જયેશના પિતા. ધર્મિષ્ઠા, ચાર્મીના સસરા. જશ્ર્વી, ડ્રીતીના દાદા ૪-૯-૨૪ના દેવલોક પામ્યા છે. બેસણું ૬-૯-૨૪, શુક્રવારના રોજ તથા પુષ્પાણી ૧૫-૯-૨૪, રવિવારે ૩ થી ૫ એમના ગામના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
ગામ ગાધડકડા હાલ બોરીવલી મુંબઈ સ્વ. વિજયભાઈ શશીકાંત પંડ્યા (ઉં.વ. ૫૯) તા ૪-૯-૨૦૨૪ બુધવાર શિવલોક પામ્યા છે. દમયંતીબેન શશીકાંત પંડ્યાના પુત્ર રીટાના પતિ જીતેશ દીપ્તિના ભાઈ ગં સ્વ કુસુમબેન વ્રજલાલ રાવલના જમાઈ. અંકિત મિહિરના પિતા. મેઘાના સસરા. લૌકિક પ્રથા બંધ છે.

હાલાઈ લોહાણા
ગં.સ્વ. ભારતીબેન દત્તા, તે સ્વ. બિપીનભાઈ દત્તાના પત્નિ, ચિ. નીલેશ ત્થા ચિ. જીગ્નાના માતુશ્રી, અ.સૌ. દર્શનાના સાસુ. તે સ્વ. ચુનીલાલ લાધાભાઈ કોટના પુત્રી ત્થા સ્વ. મોહનલાલ જૂઠાલાલ દત્તાના પુત્રવધૂ. કિરણભાઈ, ગં. સ્વ. નયનાબેન ગોકાણી, સ્વ. નરેશભાઈ, સ્વ. જનક્ભાઈના બેન તા. ૫-૯-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ચોક, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ વેસ્ટ, સમય- સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.

દશા મોઢ માંડલિયા વણિક
જેતપુર નિવાસી હાલ અમદાવાદ બળવંતરાય કાંતિલાલ ગાંધી (ઉં.વ.૮૪), તે કંચનબેનના પતિ તથા ચિ. રાજેન્દ્ર, અ.સૌ. સાધના, અ.સૌ. રીટા ત્થા અ.સૌ. બિનીતા સમીર મેસવાણીના પિતાશ્રી ત્થા ચિ. જૈનીલ તથા અ.સૌ. પલકના દાદા, સ્વ. કેશવલાલ રામચંદ્ર કલ્યાણીના જમાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. પરમાણંદભાઈ, સ્વ. હિંમતભાઈ તથા નગીનભાઈ, મંજુબેન, સ્વ. કાંતાબેન, સ્વ. લતાબેનના બનેવી તા. ૪-૯-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લોકિક પ્રથા બંધ છે.

પરજીયા સોની
ખોખરીવાળા હાલ કાંદિવલી નિવાસી રાજેન્દ્રભાઈ રામજીભાઈ ધકાણ (ઉં.વ.૭૩) તા.૪.૯-૨૪ ના બુધવારે અક્ષર નિવાસી થયેલ છે. તે સ્વ. કુમુદબેનના પતિ. હિતેષભાઈ, જીગ્નેશભાઈ, મિત્તલ સલ્લાના પિતાશ્રી. દિવ્યા તથા પ્રશાંતકુમાર સલ્લાના સસરા. સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ.ભારતીબેન સતીકુંવર તથા તુષારભાઈના મોટાભાઈ. તે અમરેલીવાળા સ્વ.ગોરધનભાઈ કાથડભાઈ સતીકુંવરના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા-૬-૯-૨૪ ના શુકવાર સાંજે ૪ થી ૬ કલાકે સોનીવાડી, વી.વી હોલ, શીમ્પોલી, બોરીવલી વેસ્ટ ખાતે રાખેલ છે.

૨૫ ગામ ભાટિયા (પંચલોથીયા)
જૂનાગઢવાળા હાલ વસઈ સુભાષ મથુરાદાસ ભાટિયા (ઉં.વ.૬૭) તા. ૪/૯/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે રૂપેક્ષાબેનના પતિ. ખ્યાતિ ગેરીથ મંન્કુના પિતા. બિપીનભાઈ, સ્વ. અશોકભાઈ તથા બેનાબેનના ભાઈ, સાસરાપક્ષે સ્વ. હેમાબેન રમેશચંદ્ર કાંતિલાલ વ્યાસના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા
સૌ. નિર્મળાબેન મણીલાલ શામજી ઠક્કર (ઉં. વ. ૮૧) ગામ અંજાર હાલે મુલુન્ડ બુધવાર, તા. ૪-૯-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. નર્મદાબેન શામજી વિશ્રામ ભલ્લાના પુત્રવધૂ તથા સ્વ. શાંતાબેન લખમશી આનંદજી માનસત્તાના સુપુત્રી. સ્વ. જીગ્નાબેન વિલાસભાઈ રવાસીયાના માતાશ્રી. તથા સ્વ. જમનાદાસભાઈ, સ્વ. જાદવજીભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. શાંતિલાલભાઈ, સ્વ. રમેશભાઈ, મંગલજીભાઈ, માધવજીભાઈ, સ્વ. વલ્લભભાઈ, સુરેશભાઈ, સ્વ. જયાબેન ગોવિંદજીભાઈ તથા લીલાવંતીબેન કિશોરભાઈના ભાભીશ્રી. તથા પ્રતાપભાઈ, હેમંતભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. ઝવેરબેન, સ્વ. રૂક્ષ્મણી, સ્વ. પાર્વતીબેન, વસંતબેન, સ્વ. પુષ્પાબેન, રંજનબેનના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૬-૯-૨૦૨૪ના સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર. પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. માણેકબેન મણીલાલ જોબનપુત્રાના વચટપુત્ર ઝવેરીલાલ હાલ મુલુન્ડ ગામ ભુજ (ઉં. વ. ૮૫) તા. ૪.૯.૨૪ના રામશરણ પામેલ છે. સ્વ. અનસુયાબેનના પતિ. તે સ્વ. જેઠીબાઈ કુંવરજીભાઈ પોપટના જમાઈ. સરોજ બીપીનના રાયમંગીયા, ગીતા અને નિરંજનના પિતાશ્રી. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર ૬-૯-૨૪ના સાંજે ૫થી ૭માં રાખેલ છે. સ્થળ કચ્છી લોહાણા મહાજન વાડી, આર. આર. ટી. રોડ, મુલુન્ડ (વેસ્ટ) ૮૦. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
નાલાસોપારાના ચંપકલાલ મર્ચન્ટ (ઉં. વ. ૮૬) શનિવાર, ૩૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મીનાબેન (માધુરી)ના પતિ. સ્વ. પદમાબેન મોહનલાલ ઠાકરસીના પુત્ર. વિનય, રાજેશ, સ્વ. જીગ્નાના પિતા. પૂનમબેન, વૈભવ પડવાનીના સસરા. ઘાટકોપર નિવાસી નાથાલાલ ગોરધનદાસ દત્તાણીના જમાઈ. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
કારદેજવાલા હાલ કાંદીવલી કનૈયાલાલ માણેકલાલ મોદી (ઉં. વ. ૮૫) ૫-૯-૨૪ ને ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે શોભનાબેનના પતિ. વિરલના પિતા. શૈલેષ માણેકલાલ મોદીના ભાઈ. મનસુખલાલ મોહનલાલ મોદીના ભત્રીજા. તે સ્વ. સવિતાબેન કરસનદાસ પુરષોત્તમ મુનીના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. ઠા. ગુલાબરાય કાનજી રામજી અનમ ગામ ગુંદાલા હાલે માટુંગાના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતીબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. પાર્વતી દયારામ રાચ્છ ગામ કુકમાના પુત્રી. તે પ્રતિમા, હર્ષા મુકેશ, નંદિની કિરણ, માવિની કિશોર, પૂર્ણિમા નીતિન, ભાવેશ-જીગ્નાના માતુશ્રી. ફાલ્ગુનીના સાસુ. સ્વ. ભગવાનદાસ, નટવરલાલ, મહેશભાઈ, પ્રફુલ્લાબેન અર્જુન, પુષ્પાબેન ધીરજલાલ, ચંદ્રિકાબેન ડુંગરશીના ભાભી. સ્વ. નરસીદાસ, નવીનભાઈ, લીલાવંતી, મુળજીભાઈ, શાંતાબેન, જમનાદાસ, સાકરબેન દેવજી, પ્રેમાબેન શીવજી, ગં. સ્વ. રતનબેન લવજીભાઈના બેન ૪ સપ્ટેમ્બર, બુધવારના શ્રી રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?