મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
અ.સૌ. ગૌ.વા. ગામ કેશોદ હાલ કાંદિવલી નિવાસી વિમળાબેન પોપટ (ઉં.વ. ૭૯) સોમવાર, તા. ૮-૪-૨૪ના શ્રીજીચરણ પામેલા છે. જે સિંકદરાબાદ નિવાસી સ્વ. કેશવલાલ ઝવેરચંદ કોટકના સુપુત્રી. જે મનસુખલાલ કેશવજી પોપટના ધર્મપત્ની. મૃગેશ, નિલેશના માતુશ્રી. અ.સૌ. સંગીતા, અ.સૌ. લીનાના સાસુ. જે પરિતા, સૌમીલ, શ્રુતિના દાદીશ્રીની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના ૪થી ૬, સ્થળ: શ્રી હાલાઈ લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. ગં. લીલાવતી મેઘજી લધારામ નાસાસોતાના મોટા પુત્ર દેવજી મેઘજી (ઉં.વ. ૮૨) ગામ રામપર (સરવા) હાલ-મુલુંડ તે ગં.સ્વ. પ્રભાવતીના પતિ. તે કમલેશ તથા અ.સૌ. હિનાક્ષી રાજેશકુમારના પિતા. તે ગં.સ્વ. કલાવતી વેલજી, સ્વ. ઝવેરબેન પ્રફુલચંદ્ર, સ્વ. સાવિત્રીબેન નાનજી, સ્વ. કસ્તુરબેન પરમાનંદ, તુલસીદાસ, કાનજી, તે અ.સૌ. દેવમણી વિનોદકુમારના ભાઈ. તે સ્વ. લીલાવતી વિઠ્ઠલદાસ ચાંપશી ભગદેના મોટા જમાઈ. તે અ.સૌ. અનિતા કમલેશ અને રાજેશકુમાર મંગલદાસ સસરા તા. ૮-૪-૨૪ને સોમવારે શ્રી રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના ૫.૩૦થી ૭.૦૦. સ્થળ: પદ્માવતી બેન્કવેટ હોલ, શિવસેના શાખાની ઉપર, એમ.જી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ વતન માંઢાવાળા હાલ કાંદિવલીના રણજીતભાઈ (ઉં.વ. ૮૨) સ્વ. ગંગાબેન ગોરધનદાસ પંચમતીઆના સુપુત્ર તા. ૯-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લતાબેનના પતિ. તે સ્વ. નારણદાસભાઈ, સુરેન્દ્રભાઈ, વિજયભાઈ, અ.સૌ. દમયંતીબેન દિલીપભાઈ, અ.સૌ. નિરંજનાબેન રમેશકુમાર, અ.સૌ. ભારતીબેન જીતેન્દ્રભાઈના ભાઈ. તે નીલેશ-દીપા, બીરજુ-મેઘા તથા પારુલબેન હસમુખકુમારના પિતાશ્રી. તે હાર્દિક-હિનલ, રાજવી, વિરેન, જીયાના દાદાજી. તે સ્વ. જમનાદાસ મથુરાદાસ દ્વારકાવાળાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૪ના ગુરુવારે ૧૦.૩૦થી ૧૨.૦૦, સ્થળ: હાલાઈ લોહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, ૧લે માળે, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા હાલ-કાંદિવલી સ્વ. કાંતાબેન પ્રતાપરાય હરિલાલ દેસાઈના સુપુત્ર અનિલભાઈના ધર્મપત્ની અ.સૌ. મૃદુલાબેન (ઉં.વ. ૬૧) તેઓ રૂચિતાબેનના માતુશ્રી. પ્રિયાંક દોશીના સાસુ. પ્રફુલભાઈ, જવાહરભાઈ, પ્રકાશભાઈ, ભરતભાઈ, કિર્તીભાઈ, દક્ષાબેન મુકેશકુમાર સંઘવીના ભાભી. મધુકાંતાબેન, સ્વ. ભાવનાબેન, દિવ્યાબેન, રેખાબેન, જાગૃતિબેનના દેરાણી. પિયરપક્ષે કોટડીવાળા સ્વ. દમયંતીબેન નગીનદાસ અંદરજી દોશીના દિકરી મંગળવાર, તા. ૯-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.)
હાલાઈ લોહાણા
પ્રભાસ પાટણ નિવાસી હાલ દહિસર સ્વ. વિજયાબેન તથા સ્વ. રસિકલાલ મથુરાદાસ હિંડોચાના સુપુત્ર ચિ. મુકેશ (ઉં.વ. ૫૯) બુધવાર, તા. ૧૦-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જીજ્ઞા (ડોલી)ના પતિ. અર્જુન તથા કૃતિકાના પિતા. રીટા અશોકકુમાર રાજાણી તથા જ્યોતિ શૈલેષકુમાર ઠક્કરના ભાઈ તથા રાગિણી તથા મિથુન યોગેશ આશરના સસરા. તે સ્વ. મંગળદાસ નરોત્તમદાસ વસાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના ૪થી ૬ ઠે: રાજેશ્રી બેન્કવેટ હોલ, ઓર્કિડ પ્લાઝા, મૂવી ટાઈમ સિનેમા કમ્પાઉન્ડ, મરાઠા કોલોની રોડ, દહિસર (ઈસ્ટ).
કચ્છી લોહાણા
ગામ મુદ્રા, હાલ મુલુંડ સ્વ. પ્રેમજી દામોદર ચોથાણીના ધર્મપત્ની ગં.સ્વ. જમુનાબહેન (ઉં.વ. ૯૫) તા. ૮-૪-૨૪ના રામશરણ પામેલ છે. જયસિંહ, રાજેન્દ્ર, ગં.સ્વ. રૂક્ષ્મણીબેન જયસિંહ, સ્વ. ભારતીબેન જયંતિલાલ, સ્વ. નિર્મળાબેન જયસિંહ, ગં.સ્વ. હેમલતા સતીષ, અ.સૌ. શાંતાબહેન રોહિતના માતુશ્રી. અ.સૌ. ઈન્દુબહેન જયસિંહના સાસુજી. સૌ. વિની ઘનશ્યામ, અ.સૌ. હિરલ વિક્રમ, અ.સૌ. પુજા વિશાલના દાદીમા. સ્વ. નર્મદાબેન દામોદર, ગં.સ્વ. જશુબહેન જેઠાલાલના બહેન. ગં.સ્વ. ભાનુબહેન ચંદ્રકાંત, ગં.સ્વ. જ્યોતિબેન રણજીત, સ્વ. શોભનાબેન પુરુષોત્તમ, અ.સૌ. મધુરીબહેન રમેશભાઈના ભાભી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૪ના પથી ૭, સ્થળ: કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (પશ્ર્ચિમ) લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ પોરબંદર, હાલ ઐરોલી નિવાસી સંધ્યાબેન ઠક્કર (ઉં.વ. ૮૨) તે શ્રી કાંતિલાલ રતીલાલ ઠક્કર (અમલાણી)ના ધર્મપત્ની. તે નિતીન, નિલેશ, સંજય (નાનુ)ના માતુશ્રી. તે પ્રજ્ઞા, સ્નેહા, ઋતુના સાસુમા. તે સૌરભ, ક્રિશ્ર્ના તથા શુભના દાદીમા. તે શ્રી હીરાલાલ, શ્રી મણિલાલ, સ્વ. શારદાબેન, સ્વ. લતિકાબેન, ગં.સ્વ. મંગળાબેનના ભાભી મંગળવાર તા. ૯-૪-૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા નિમા વણિક
દેવગઢ બારિયા નિવાસી, હાલ મલાડ (મુંબઈ) શ્રીમતી વિરબાળાબેન જશવંતલાલ પરીખ (ઉં.વ. ૯૧) તા. ૧૦-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. શ્રદ્ધાંજલિ સભા શુક્રવાર, તા. ૧૨-૪-૨૪ના સાંજે ૫થી ૭ જગમોહન ગોકુળદાસ મેમોરિયલ હોલ, (એન એલ કોલેજ), એસ.વી. રોડ, મલાડ (વેસ્ટ).
બાવન ગામ ભાવસાર
હરેશભાઇ રાણપુરા (ઉં.વ. ૬૫) તા. ૬-૪-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કંચનબેન તથા સ્વ. હરીભાઇ વેલશીભાઈ રાણપુરાના પુત્ર. શોભાબેનના પતિ. પવન – મહીમાના પિતા. મિરા તથા વિશાલકુમાર શાહના સસરા. સ્વ. જયસુખભાઈ, યૉગેશ અને ગુણવંતીબેન કીશૉરભાઈના ભાઈ. તે નવિનભાઈ ઉજમશીભાઇ બેલાણીના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૪ને ગુરુવાર ૫ થી ૭. મનિષનગર કોમ્યુનીટી હોલ, ચાર બંગલા, અંધેરી વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
ગામ જસદણના સ્વ. નંદલાલ ભુરાભાઇ ભુપતાણીના પુત્ર મધુકાંત ભુપતાણી (ઉં.વ. ૬૫) તે ૫/૪/૨૪ના દેવલોક પામેલ છે. તે આશાબેનના પતિ. હિરેન, ભાવિકાના પિતા. ભરત, સોનલ બીપીનકુમાર મવાણીના ભાઈ. સ્વ. ધીરજલાલ છગનલાલ સાંગાણીના જમાઈ. રમેશભાઈ, રજનીબેન, નરેશભાઈના ભાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધારી નિવાસી હાલ ગોરેગાવ સ્વ. નવનીતલાલ અમૃતલાલ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉં.વ. ૮૨) તે સ્વ. ઈચ્છાબેન જયંતીલાલ સરવૈયાના દીકરી. સ્વ. હંસાબેન ત્રિભોવનદાસ મહેતાના ભાભી. ૭/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
દહેગામ નિવાસી હાલ મલાડ સ્વ. નિરંજનભાઈ રમણલાલ શાહ (ઉં.વ. ૮૨) તા. ૬-૪-૨૪ના પાલીતાણા અરિહંતશરણ પામેલ છે. તે શીલાબેનના પતિ. મેહુલભાઈ અને જીગરભાઈના પિતા. સેજલ અને માનસીના સસરા. જિનેશભાઈ, અનિલાબેન અને સ્વ. રાજનબેનના ભાઈ. કિરણ શનાલાલ શાહના બનેવી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ ૫ થી ૭. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ. વ્હી, રોડ, પારેખ ગલી કોર્નર, કાંદિવલી (૫.).
ઝાલા. દશા શ્રી. સ્થા. જૈન
વઢવાણ નિવાસી હાલ દહિસર જયેન્દ્રભાઈ શાંતિલાલ પારેખના ધર્મપત્ની અ.સૌ. હંસાબેન પારેખ (ઉં.વ. ૮૨), તે સોમવાર, તા. ૮-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચિ. આશિષ, ચિ. રશેષ, ચિ. જીગીસાના માતુશ્રી. સોનલ આશિષ પારેખ, ભાવિ રશેષ પારેખના સાસુ. તે રૂચિકા, અંજલીના દાદી. પિયરપક્ષે સ્વ. ચંદનબેન ચુનીલાલ શાહના દિકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબી નિવાસી સ્વ. મૃદુલાબેન રમેશચંદ્ર દફતરીના પુત્ર મયૂર (ઉં.વ. ૬૭) મંગળવાર, તા. ૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કિરણના પતિ. તે સ્વ. મનીષભાઈ તથા ચિ. વિપુલભાઈના મોટાભાઈ. તે સ્વ. નિર્મળાબેન વિસનજીભાઈ પુજારાના જમાઈ. પુનમ રાજીવ શાહ અને અમીતના પપ્પા. જીલના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત